હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી ઉજવાઈ

Wednesday 09th September 2026 07:06 EDT
 
 

નકુરુઃ હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ઉજવવા ભક્તો આનંદિત અને સમર્પિત ભક્તિભાવના માહોલમાં એકત્ર થયા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમો યોજાયા હતા તેમજ પરંપરાગત મટકીફોડ સમારંભમાં પણ સહુએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહુ ભક્તજનોને સ્વાદિષ્ટ પ્રસાદના વિતરણ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવનું સમાપન કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter