નકુરુઃ હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ઉજવવા ભક્તો આનંદિત અને સમર્પિત ભક્તિભાવના માહોલમાં એકત્ર થયા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમો યોજાયા હતા તેમજ પરંપરાગત મટકીફોડ સમારંભમાં પણ સહુએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહુ ભક્તજનોને સ્વાદિષ્ટ પ્રસાદના વિતરણ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવનું સમાપન કરાયું હતું.


