ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ (યુ.કે.) સ્થિત પુષ્ટીમાર્ગીય શ્રીનાથધામ હવેલી, હેરો ખાતે ગત ૨૫ જુલાઇથી ઓગષ્ટ ૨૨ દરમિયાન રોજ ઠાકોરજીના હિંડોળા દર્શનનો લાભ વૈષ્ણવો લઇ રહ્યા છે. જેનાં દર્શન આસ્થા ચેનલ પર રોજ સાંજે ૯.૪૦ કલાકે દરેક હિન્દુધર્મપ્રેમીઓ ઘરે બેઠાં કરી શકે છે . હેરોની આ હવેલીમાં અત્યારે સૂકા મેવાના મનોહારી હિંડોળે ઠાકોરજી બિરાજમાન છે. આ પહેલા કાજુના હિંડોળા, તાજા મેવા (ફળફળાદિ)ના હંડોળા, શાકના હિંડોળાના દર્શન કરવા મળ્યા હતા.