આગામી ૧ નવેમ્બરથી શરૂ થઈ રહેલા શ્રી જગન્નાથ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં ભાગ લેવાશ્રી રામ મંદિર સાઉથોલ અને શ્રી જગન્નાથ સોસાયટી યુકેનું સૌને હાર્દિક આમંત્રણ છે. આ ઉત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ૧ નવેમ્બરને સોમવારે બપોરે ૧.૩૦થી ૩ દરમિયાન સંકલ્પના આમંત્રણ સાથે ઉત્સવનો પ્રારંભ થશે. ૨ નવેમ્બરને મંગળવારે સવારે ૯થી સાંજે ૫ દરમિયાન અભિષેક પૂજા યોજાશે. ત્રીજો કાર્યક્રમ પ્રાણ પ્રતિષ્ઠાનો છે જે ૩ નવેમ્બરને બુધવારે સવારે ૯થી સાંજે ૫ દરમિયાન યોજાશે. આ ઉજવણીનું સમાપન તા. ૬ નવેમ્બરને શનિવારે જાહેર દર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થશે. તે દિવસે દર્શન અને કાર્યક્રમ સવારે ૯થી સાંજે ૫ સુધી ચાલશે.
આ ઉજવણી શ્રી રામ મંદિર, 23 કિંગ સ્ટ્રીટ સાઉથોલ UB2 4DA ખાતે યોજાશે. ઉત્સવમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ કોવિડ – ૧૯ ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે. જે લોકો રૂબરૂ હાજર નહીં રહી શકે તેમને માટે ઝૂમ પ્લેટફોર્મ પર કાર્યક્રમનું લાઈવસ્ટ્રીમ કરાશે.
પોતાના વાહનો સાથે આવતા તમામ લોકો માટે નજીકના ફેધરસ્ટોન ટેરેસ કાર પાર્ક, સાઉથોલ UB2 4AX ખાતે પેઈડ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે.