આનંદ મેળામાં પધારો અને બાળકોના ઉત્કર્ષ માટે નિમિત્ત બનો

ખરીદવામાં આવેલી £૨-૫૦ની ટિકીટની તમામ રકમ "હોપ ફોર ચિલડ્‌રન"ને સુપ્રત કરાશે: તા. ૧૭ - ૧૮ જૂન ૨૦૧૭ દરમિયાન હેરો લેઝર સેન્ટરમાં 'આનંદ મેળા'નું શાનદાર આયોજન

Tuesday 02nd May 2017 09:29 EDT
 

છેલ્લા છ વર્ષથી સતત સફળતા મેળવી લંડનવાસીઅો તેમજ આજુબાજુના નગરોમાં રહેતો લોકોમાં અનેરી લોકચાહના મેળવનાર સાતમા આનંદ મેળામાં આ વખતે બાળકોના આરોગ્ય, શિક્ષણ અને કલ્યાણ માટે કાર્ય કરતી ચેરીટી સંસ્થા "હોપ ફોર ચિલ્ડ્રન"ની પસંદગી કરવામાં આવી છે. આપના દ્વારા ખરીદવામાં આવેલી £૨-૫૦ની ટિકીટની તમામ રકમ "હોપ ફોર ચિલડ્‌રન"ને સુપ્રત કરવામાં આવશે જેથી તે રકમ કોઇના લાડકવાયા બાળકના ભાવિને ઘડી શકે અને તે બાળક ભણીગણીને જવાબદાર નાગરીક બની શકે.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ (HA3 5BD) ખાતે યુકેમાં યોજાતા એશિયન મેલાઅોમાં સર્વશ્રેષ્ઠ એવા આનંદ મેળાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપને ગીત-સંગીત-નૃત્ય-મનોરંજન, ખાણી-પીણી અને વિવિધ ચીજવસ્તુઅો કપડા અને જ્વેલરીની ખરીદીની મજા તો માણવા મળશે જ સાથે સાથે આપે ટિકીટ માટે ખર્ચેલા નાણાં થકી બાળકો માટે કાંઇક શુભકાર્ય કર્યાનો સંતોષ પણ મળશે.

આનંદ મેળા માટે પસંદ કરાયેલ ચેરિટી "હોપ ફોર ચિલ્ડ્રન"ની સ્થાપના ૧૯૯૪માં હર્ટફર્ડશાયર ખાતે કરવામાં આવી હતી અને તેમના દ્વારા વિશ્વના ૮ દેશોમાં સ્થાનિક ચેરિટી સંગઠનોના સહકારથી બાળકોના કલ્યાણ માટે કાર્ય કરાય છે. સંસ્થા દ્વારા બાળકના પરિવારજનોને નાના વેપાર ધંધો કરવા માટે લોન પણ અપાય છે, જેથી પરિવાર સધ્ધર થતાં તેઅો પોતાનો ખર્ચો જાતે જ ઉઠાવી શકે અને સ્વમાન સાથે આત્મનિર્ભર થઇ શકે.

સંસ્થા દ્વારા દિલ્હીની શેરીઅોમાં રખડતા અને આરોગ્ય, શિક્ષણ સહિતની રોજબરોજની જરુરિયાતથી વંચિત એવા બાળકોની જવાબદારી ઉપાડવામાં આવી છે. દિલ્હીમાં ૬થી ૧૬ વર્ષના આવા ૫૦,૦૦૦ જેટલા બાળકો છે જેમને શાળામાં પ્રવેશ મળી શકે તેટલા પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરાઇ છે. આગામી ત્રણ વર્ષમાં દિલ્હી, મુંબઇ અને હૈદ્રાબાદમાં વસતા અને મૂળભૂત જરૂરિયાતોથી વંચિત થઇ હાંસીયામાં ધકેલાઇ ગયેલા સુમદાયો અને બાળકો માટે કામ કરવાનું આયોજન કરાયું છે. જેને કારણે ૨૬,૦૦૦ જેટલા બાળકોને લાભ મળશે.

સંસ્થા દ્વારા જાતીય શોષણ, બળાત્કાર, બાળ મજદૂરી અને બાળ લગ્ન સહિતના દુષણોનો ભોગ બનતા બાળકો માટે કાર્યો ઉપાડી લેવામાં આવ્યું છે. આજ રીતે સંસ્થા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં આવેલી શાળાઅોમાં ટોયલેટ અને મૂળભૂત સેનીટેશન સુવિધાઅોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેથી બાળકોને કોઇ તકલીફ પડે નહિં અને ખાસ કરીને દિકરીઅોને શાળામાંથી ઉઠાવી લેવામાં આવે નહિં તેમજ બાળકોને ગંદકીના કારણે થતાં રોગચાળાથી બચાવી શકાય. આ ઉપરાંત સંસ્થા દ્વારા અોર્ગેનીક ખેતીને પ્રોત્સાહન આપી ગ્રામીણ સ્તરે તેનો વ્યાપ વધે અને ખેડૂતોને યોગ્ય બજાર મળી રહે તે માટે મદદ કરાય છે. ખેડૂતોને આ માટે સ્ટોરેજ, ઉત્પાદનની ગુણવત્તા જાળવવા, છૂટક દુકાનો તેમજ માલસામાનની હેરફેર અને જાળવણી માટેની જરૂરી તમામ તાલિમ આપવામાં આવે છે. "હોપ ફોર ચિલડ્‌રન"ની વધુ માહિતી આપને www.hope-for-children.org પરથી મળી રહેશે.

ગીત-સંગીત-નૃત્ય-મનોરંજનનો મહાસાગર

આનંદ મેળાના સૌથી લોકપ્રિય અને સૌનું આકર્ષણ બનતા મનોરંજક કાર્યક્રમોમાં આ વખતે નાનકડા બાળ કલાકારોના નૃત્યો, કથક નૃત્ય, વિખ્યાત ગાયક કલકારોના બોલીવુડ ગીત-સંગીત, રાસ-ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. જો અપની સંસ્થા, ગુજરાતી શાળા, સંગઠન કે મંડળ દ્વારા બાળકો કે યુવાનો દ્વારા ગીત, સંગીત અને નૃત્યો કે અન્ય લોકભોગ્ય કાર્યક્રમ તૈયાર કરાતા હોય અને આપ તેને આનંદ મેળામાં રજૂ કરવા માંગતા હો તો અમે આનંદ મેળામાં રજૂ કરવા માટે ઉત્સુક છીએ. આ માટે આજે જ કમલ રાવનો ઇમેઇલ [email protected] અથવા ફોન 07875 229 211 ઉપર સંપર્ક કરવા વિનંતી છે.

સૌના આરોગ્યની જાળવણી માટે આ વર્ષે ફરી એક વખત 'મેડીટોરીઆ હેલ્થ અને વેલનેસ એક્સ્પો'નું આયોજન કરાયું છે. જેમાં ભારતની વિખ્યાત સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલોના અને વિવિધ ક્ષેત્રે આરોગ્ય સેવા આપતા નિષ્ણાંત સ્પેશ્યાલીસ્ટ કન્સલ્ટન્ટ, ડોક્ટર્સ અને તજજ્ઞો આવશે અને શારીરિક તકલીફ, બીમારી વગેરે અંગે મફત કન્સલ્ટેશન આપશે. આ વખતે આનંદ મેળાના અોફીશીઅલ કેટરર્સ તરીકે "દીલ્હી અોન ગો"ની પસંદગી કરવામાં આવી છે. 'આનંદ મેળા'ની પ્રવેશ ફી વ્યક્તિ દિઠ £૨-૫૦ છે અને ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત છે.

સાડી-જવેલરી, કપડા, શણગાર, મહેંદી, તૈયાર નાસ્તા કે ઘર સજાવટની વિવિધ ચીજ-વસ્તુઅોનો વેપાર કરતા હો અને બ્યુટી, વેડીંગ પ્લાનર, ટ્રાવેલ અને ટૂરીઝમ, શિક્ષણ, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ ક્ષેત્ર સહિત વિવિધ સેવાઅોનો લાભ આપતા હો તો આજે જ આપના સ્ટોલ માટે સંપર્ક કરો. આનંદ મેળામાં સ્ટોલ કરીને વધારાની કમાણી કરવાની આ શ્રેષ્ઠ તક છે. સ્ટોલ કરીને આપ નવા ગ્રાહકો મેળવી શકશો અને આપના વેપારની જાહેરાત કરવાની અમુલ્ય તક મળશે. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળો ૫,૦૦૦થી વધુ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે અાજે જ કાર્યાલયમાં ફોન કરો 020 7749 4080.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter