બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• પૂ. ગીરીબાપુની શિવકથા તા. 23થી 29 જૂન લેઉવા પાટીદાર સમાજ હોલ (લેગ્રામ મિલ લેન, ઓફ લેગ્રામ લેન, બ્રેડફોર્ડ - BD7 2BA) અને તા. 30 જૂનથી 6 જુલાઇ લીડ્સ હિન્દુ ટેમ્પલ (36 - એલેક્ઝાન્ડ્રા રોડ, લીડ્સ - LS6 1RF). બન્ને કથાનો સમય - સાંજે 4.00થી 7.00. વધુ માહિતી માટે સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• આદ્ય શક્તિ માતાજી ટેમ્પલ દ્વારા ભજન-કીર્તન તા. 29 જૂન (બપોરે 3.00 વાગ્યાથી). બાદમાં આરતી અને મહાપ્રસાદ. સ્થળઃ 55 હાઇ સ્ટ્રીટ, કોઅલી, મિડલસેક્સ - UB8 2DZ (વધુ માહિતી માટે સંપર્કઃ જશવંત માઇચા - ફોનઃ 07882 253 540)
• ઓશવાળ એસોસિએશન ઓફ ધ યુ.કે. યોજીત ફેસ્ટીવલ ઓફ યુનિટી : શનિવાર તા. ૨૮ જુન ૨૦૨૫ના પોટર્સબારમાં આવેલ યુરોપનું પ્રથમ શિખરબંધી ભવ્ય જીનાલયના ૨૦ વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે “ફેસ્ટીવલ ઓફ યુનિટી’ નામે એક શાનદાર કોન્સર્ટનું આયોજન ઓશવાળ સેન્ટર, કૂપર્સ લેન રોડ, હર્ટફર્ડશાયર, EN6 4DG ખાતે સાંજના ડીનર સહિત કરવામાં આવ્યું છે. વિશા ઓશવાળ જૈનોની સૌથી મોટી સંસ્થા છે જેના ૨૭,૦૦૦ સભ્યો યુ.કે.માં વસે છે. વધુ વિગત માટે સંપર્ક: +44 1707 643 838