સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનો 82મો પાટોત્સવ ઉજવાયો

Friday 27th February 2026 05:46 EST
 
 

અમદાવાદમાં આવેલા સ્વામિનારાયણ મણિનગર ગાદી સંસ્થાનમાં ઘનશ્યામ મહારાજના 82મા પાટોત્સવ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમોમાં ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિક ઊર્જાનો અનોખો ત્રિવેણીસંગમ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મહંત સદગુરુ ભગવતપ્રિયદાસજી કહ્યું કે 82 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે પંચમૃત અભિષેક, આરતી, અન્નકૂટ અને મહાપૂજાનું આયોજન થયું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter