હરિદ્વારઃ ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસર પર ઉત્તરાખંડના હરિદ્વારમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. બુધવારે વહેલી સવારથી જ હર કી પૌરી અને અન્ય પ્રમુખ ઘાટો પર દેશભરમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. આ પાવન દિવસે ભક્તોએ ગંગા નદીના પવિત્ર જળમાં આસ્થાની ડૂબકી લગાવી પૂજા-અર્ચના કરી હતી. ગુરુપૂર્ણિમા નિમિત્તે ગંગા સ્નાન અને દાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ઘાટો પર અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી.


