બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં બોટાદ તાલુકાના સાળંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે. હરિભક્તો સ્વામીશ્રીના આશીર્વચન - સત્સંગનો લ્હાવો લેવા દરરોજ હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. હાલ હિંડોળા પર્વ ચાલી રહ્યું છે ત્યારે સ્વામીશ્રીએ પણ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજને હેતના હિંડોળે ઝૂલાવ્યા હતા.


