‘ગુજરાત સમાચાર’ના વર્ષોજૂનાં વાચક-ચાહક-પ્રશંસક નિરુબહેન દેસાઇનું નિધન

Wednesday 28th September 2022 05:41 EDT
 
 

લંડનઃ ‘ગુજરાત સમાચાર’ના વર્ષોજૂના વાચક-ચાહક-પ્રશંસક નિરુબહેન દેસાઇનું 90 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત થતાં વાચકોના પત્રોના વિભાગ ‘મંતવ્ય’ના નિયમિત લેખક હતા. આ ઉપરાંત તેઓ પ્રસંગોપાત વિવિધ વિષયો પર લેખો પણ લખતા હતા. કવિતા સર્જન પણ તેમના રસનો વિષય હતો. મોટી વય છતાં જીવનના અંતિમ શ્વાસ સુધી યુવા પેઢીને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે જિંદગી જીવેલાં સ્વ. નિરુબહેને તેમની કલમ થકી માત્ર ‘ગુજરાત સમાચાર’ના વાચકોમાં જ નહીં, રેડિયોના શ્રોતાવર્ગમાં પણ આગવી લોકપ્રિયતા મેળવી હતી. ‘ગુજરાત સમાચાર’ પરિવાર નિરુબહેનના નિધનથી દેસાઈ પરિવાર પર આવી પડેલી દુઃખની આ ઘડીએ હાર્દિક દિલસોજી વ્યક્ત કરે છે, અને તેમના આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય તે માટે પરમાત્માને પ્રાર્થના
કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter