‘મિની ઇંડિયા’ ગયાનામાં હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમા

Friday 23rd May 2025 05:24 EDT
 
 

ગયાનાના સ્પાર્ટામાં સીતારામ રાધેશ્યામ મંદિરમાં હનુમાનજીની 16 ફૂટની મૂર્તિ સ્થાપિત કરાઇ છે. ગયાના સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર ભવ્ય પ્રતિમાની તસવીરો શેર કરતા જણાવ્યું હતું કે આ મૂર્તિ આસ્થા - મૈત્રી અને દૃઢ સંકલ્પનું પ્રતીક છે. ભગવાન બજરંગ બલી ભારત અને ગયાનાના લોકો વચ્ચેના સંબંધો વધુ ઘનિષ્ઠ બનાવવાના પ્રયાસોમાં આપણું ભલું કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત નવેમ્બરમાં ગયાનાના તેમના પ્રવાસ દરમિયાન ત્યાંના ભારતીય સમુદાયને ‘મિની ઇન્ડિયા’ ગણાવી તેની સરાહના કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter