મંદિરના મેનેજર રવિન્દ્રભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે, સવારે એક વૈષ્ણવ દર્શનાર્થે આવ્યા હતા. તેમણે ભગવાનના દર્શન કરીને ભાવવિભોર થઈને પ્રભુ સન્મુખ સુવર્ણ રત્નજડિત મુગટને અર્પણ કર્યો હતો અને ત્યાંથી રવાના થઈ ગયા હતા. આ મુગટમાં આશરે ૬ કિલો અને ૭૦૦ ગ્રામ સોનું તથા કિંમતી હીરાથી જડિત છે. બજારમાં તેની કિંમત રૂપિયા બે કરોડથી વધુ થાય છે.

