મોદી માટે ૧૦૦ કિલોમીટર દંડવત્ સાથે માનતા પૂર્ણ કરી

Thursday 11th December 2014 10:54 EST
 
 

૧૦૦ કિલોમીટર સુધી સતત દંડવત્ પ્રણામ કરતા જવાનું કામ કપરું છે, પણ નરેન્દ્ર મોદી માટે માનતા લેનારા જયંતીભાઇ પ્રજાપતિએ શરીરે તાવ હોવા છતાં પણ આ માનતા પૂર્ણ કરી હતી. જયંતીભાઇએ ૩૧ ઓગસ્ટે ભૂજથી આ અનોખી યાત્રા શરૂ કરી હતી.
આ દરમિયાન તેમને ચાર દિવસ મલેરિયા પણ થયો હતો અને ડોક્ટરે આ યાત્રા અટકાવી દેવાનું પણ કહ્યું હતું. જોકે નરેન્દ્ર મોદી અને માતાજી પ્રત્યેની આસ્થાને કારણે તેમણે આ યાત્રા અટકાવી નહોતી અને યાત્રા ચાલુ જ રાખી હતી. છેવટે વિઘ્નો સહન કરીને પણ માનતા પૂરી કરી હતી.


comments powered by Disqus