નવરાત્રિની ઉજવણીવિહોણા આ અનોખા ગામ અભરામપુરા, મહાદેવપુરા (ડાભલા) અને આનંદપુરા (કુકરવાડા) છે. જે જિલ્લા મથક મહેસાણાથી ૪૦ કિ.મી.ના અંતેર છે. નવાઈની વાત તો એ છે કે નવરાત્રિના નવ દિવસ રાસ-ગરબાથી અળગા રહેતા આ ગામના લોકો દિવાળી પહેલાના નવ દિવસને નવરાત્રિ માનીને ધામધૂમથી ઉજવણી કરે છે. પેઢીઓ બદલાઈ પરંતુ દિવાળીએ નવરાત્રિ ઉજવવાની ૧૦૦ વર્ષ જૂની પરંપરા બદલાઈ નથી. નવી પેઢીને નવરાત્રિએ રમવાનું મન થતું હોવા છતાં જૂની પરંપરા તોડવા ઈચ્છતી નથી.