કચ્છનાં ૩૫૩ ગામ અછત-અર્ધઅછતગ્રસ્ત

Thursday 11th December 2014 06:01 EST
 

સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં અપૂરતા વરસાદના લીધે સર્જાયેલી પીવાના પાણીની સમસ્યા, ઘાસચારો અને કૃષિપાકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છના સૌથી અસરગ્રસ્ત થયેલા ૩૫૩ ગામોને અછત અને અર્ધઅછતગ્રસ્ત જાહેર કરાયા છે. આ માટે ખરીફ-૧ના કૃષિપાકોની આનાવારી હાથ ધરાઇ હતી, જેમાં ૭૯ ગામમાં સંપૂર્ણ અછતની સ્થિતિ જણાઇ હતી. જ્યારે ૨૭૪ ગામમાં અર્ધઅછતની સ્થિતિ જણાઇ હતી. આમ આ તમામ ગામોને અછત અને અર્ધઅછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.
આ સ્થિતિ જાહેર થતા જ આનુષાંગિક અછત રાહતના પગલાં જેમાં નાના  ખેડૂતો અને ગરીબ માલધારીઓને પશુદીઠ દૈનિક ચાર કિલોગ્રામ ઘાસ બે રૂપિયે કિલોના ભાવે મળશે.


comments powered by Disqus