મૂળના મોરબીના અને લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી ચૂંટાયેલા મોહનભાઇ કુંડારિયાને રવિવારે થયેલા નરેન્દ્ર મોદી સરકારના પ્રધાન-મંડળના વિસ્તરણમાં રાજ્યકક્ષાના કૃષિ પ્રધાન બનાવવામાં આવ્યા છે. જ્યારે હળવદના ધારાસભ્ય અને મોરબીના વતની જયંતીભાઇ કવાડિયાને ગુજરાત સરકારમાં પંચાયત પ્રધાન છે. આ રીતે મૂળ મોરબીના પરંતુ બે જુદી જુદી બેઠક પરથી ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્ય કેન્દ્ર અને રાજ્યમાં પ્રધાન બન્યા હોય તેવી મોરબીના વતનીઓ માટે મોટી ઘટના છે. આ બંને મહાનુભાવો મોરબીમાં રહે છે.
આ ઉપરાંત ભાજપના જ કાંતિલાલ અમૃતિયા મોરબી વિધાનસભા બેઠક પરથી ત્રીજી વાર ચૂંટાયા છે.