આગામી જાન્યુઆરીમાં તા. ૭થી ૯ દરમિયાન પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ત્રણ દિવસની ઉજવણી થશે અને તેમાં નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ આવશે. અહેવાલ અનુસાર, રાજ્ય સરકારે મહાત્મા મંદિર ખાતે ગાંધીજીના દાંડી સત્યાગ્રહની થીમ તૈયાર કરી છે. અહીં ગાંધીજીની વિશાળ પ્રતિમા પણ મુકાશે. ત્રણ દિવસ અલગ અલગ થીમ ઉપર પરિસંવાદ યોજાશે. ઉજવણીમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, આફ્રિકામાં વસતા ભારતીયો વિશેષ રૂપમાં ઉપસ્થિત રહે તેવું આયોજન થઇ રહ્યું છે. ચીન અને જાપાનનું એક એક ડેલિગેશન પણ ભારત આવે તેવી શક્યતા છે.