વિહંગાવલોકન - ૨૦૧૪ઃ ભારત

લોકસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતી

Wednesday 17th December 2014 08:09 EST
 
ભારતના વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદી
 

• કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પા ભાજપમાં ફરીથી જોડાયા
• બોલિવૂડ અભિનેતા જ્હોન અબ્રાહમે ગર્લફ્રેન્ડ પ્રિયા રુચાલ સાથે લગ્ન કર્યા
• બોલિવૂડનું આદર્શ દંપતી રિતિક રોશન અને સુઝેન છૂટાછેડા માર્ગે
• ભારત સરકારે રૂ. ૩૬૦૦ કરોડનો વીવીઆઇપી હેલિકોપ્ટરનો સોદો રદ્ કર્યો
• શિરડીમાં સાઇબાબા મંદિરને નવ દિવસમાં રૂ. ૧૬ કરોડનું દાન મળ્યું
• નવી દિલ્હીમાં પ્રવાસી ભારતીય દિનની ઉજવણીઃ શૈલેષ વારાને ‘પ્રવાસી ભારતીય સન્માન’ એવોર્ડ એનાયત
• મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના અદભુત ટર્મિનલનું ઉદ્ધાટન
• દાઉદી વ્હોરા સમાજના ડો. સૈયદના સાહેબ જન્નતનશીનઃ મુંબઇમાં અંતિમ દિદાર વખતે ૧૮ લોકોનાં મોત
• કેન્દ્રીય પ્રધાન શશિ થરુરનાં પત્ની સુનંદા પુષ્કર (૫૧)નું દિલ્હીની હોટેલમાં રહસ્યમય મોત
• પીઢ અભિનેત્રી સૂચિત્રા સેન (૮૧)નું કોલકતામાં અવસાન
• ભારત સરકારે જૈન સમાજને લઘુમતીનો દરજ્જો આપ્યો
• ૬૫મા પ્રજાસત્તાક પર્વની દિલ્હીમાં ઉજવણી
• ફિલ્મફેર એવોર્ડસમાં ‘ભાગ મિલ્ખા ભાગ’ ફિલ્મને સૌથી વધુ એવોર્ડ
• ભારત સરકાર દ્વારા આઠ ગુજરાતીઓને પદ્મ સન્માન જાહેર

ફેબ્રુઆરી

• ક્રિકેટર સચિન તેંડુલકર અને સ્પેસ વૈજ્ઞાનિક પ્રો. સીએનઆર રાવ ‘ભારતરત્ન’થી સન્માનિત
• ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પદે વિજય બહુગુણાના સ્થાને હરિશ રાવતની પસંદગી
• જનલોકપાલ બિલને દિલ્હીમાં આમઆદમી પાર્ટી સરકારની કેબિનેટની મંજૂરી
• મુંબઇમાં દેશની પ્રથમ મોનોરેલનો પ્રારંભ
• દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનું રાજીનામું, રાષ્ટ્રપતિ શાસન લદાયું
• રાજીવ ગાંધીના ત્રણ હત્યારાઓની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઇ
• આંધ્ર પ્રદેશથી અલગ તેલંગણ રાજ્યનું બિલ લોકસભામાં પસાર
• મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી આમઆદમી પાર્ટીમાં જોડાયા

માર્ચ

• રોકાણકારોના રૂ. ૨૦ હજાર કરોડ પરત કરવામાં નિષ્ફળ ગયેલા સહારા જૂથના સુબ્રતો રોયને કોર્ટે કસ્ટડીમાં મોકલ્યાઃ નારાજ રોકાણકારે કોર્ટ બહાર ‘સહારાશ્રી’નું મોં કાળું કર્યું
• ભાજપના વિવાદાસ્પદ પૂર્વ પ્રમુખ બાંગારુ લક્ષ્મણ (૭૫)નું નિધન
• વિશ્વમાં ધનવાનોની યાદીમાં ભારતનો પાંચમો ક્રમ, મુકેશ અંબાણી સૌથી ધનિક ભારતીય
• ચૂંટણી પંચે કુલ નવ તબક્કામાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી
• છત્તિસગઢમાં નકસલી હુમલામાં સીઆરપીએફના ૧૫ સૈનિકો શહીદ
• વારાણસી બેઠક માટે નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ ઉમેદવાર જાહેર
• પીઢ અભિનેત્રી નંદા (૭૫)નું મુંબઇમાં હાર્ટએટેકના કારણે નિધન
• લેખક-પત્રકાર ખુશવંતસિંહ (૯૯)નું દિલ્હીમાં નિધન

એપ્રિલ

• રાજીવ ગાંધીના હત્યારાઓને ફાંસીની સજા નહીં આપવાનો સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો
• વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારતને સત્તાવાર રીતે ‘પોલિયો મુક્ત’ દેશનો દરજ્જો આપતું પ્રમાણપત્ર આપ્યું
• સહારા જૂથના વડા સુબ્રતો રોયને જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
• અમેરિકાના ભારતીય એમ્બેસેડર પદેથી નેન્સી પોવેલનું રાજીનામું
• ભાજપે લોકસભા ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યોઃ વિકાસ-રોજગારીને પ્રાથમિકતા, રામમંદિર મુદ્દો પણ સામેલ
• વારાણસીમાં મોદી-કેજરીવાલ સામે કોંગ્રેસના અજય રાય ઉમેદવાર જાહેર
• ફેમિના મિસ ઇન્ડિયા-૨૦૧૪નો તાજ કોયલ રાણાના શિરે
• ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોમાં દિલ્હી પોલીસનો હાથઃ ન્યૂસ પોર્ટલ ‘કોબ્રાપોસ્ટ’નું સ્ટીંગ ઓપરેશન
• ગાંધી પરિવારના જમાઇ રોબર્ટ વાડ્રાએ રૂ. એક લાખના ૩૨૫ કરોડ બનાવ્યા હોવાનો વોલસ્ટ્રીટ જર્નલનો દાવો
• ચૂંટણીના સાતમા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૮૩ ટકા મતદાન
• કાળાં નાણાં મુદ્દે સરકારે નામ જાહેર કર્યા

મે

• આસામમાં બોડો ત્રાસવાદીઓ દ્વારા હિંસાચારમાં ૩૨ લોકોનાં મોત
• વિવિધ ચૂંટણી સર્વે અને એક્ઝિટ પોલમાં ‘અબ કી બાર મોદી સરકાર’નું તારણ
• મહિલા જાસૂસીકાંડમાં કેન્દ્ર સરકારે તપાસ કરવાનો ઇન્કાર કર્યો
• દેશમાં સરેરાશ કુલ ૬૬.૪ ટકા રેકોર્ડબ્રેક મતદાન
• એનએસઇએલ ગ્રૂપના ૪૬ વર્ષીય સ્થાપક જિજ્ઞેશ શાહની રૂ. ૫૬૦૦ કરોડના કૌભાંડ બદલ ધરપકડ
• ૧૬મી લોકસભામાં બહુમત સાથે ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર રચાઇઃ નરેન્દ્ર મોદી વડા પ્રધાન
• ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં નવીન પટનાયકને સતત ચોથી વખત સુકાન
• નવા તેલંગણ રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન પદે કે. ચંદ્રશેખર રાવ, આંધ્ર પ્રદેશમાં ટીડીપીની એન. ચંદ્રાબાબુ નાયડુની સરકાર બની
• સિક્કિમ વિધાનસભાની ચૂંટણીમાં ડેમોક્રેટિક ફ્રન્ટ ફરીથી વિજેતા
• મોદીની અસરઃ બિહારના મુખ્ય પ્રધાન પદેથી નીતિશકુમારનું રાજીનામું, દલિત નેતા જીતનરામ માંઝી નવા શાસક બન્યા
• ટિસ્કોના ભૂતપૂર્વ ચેરમેન રૂસી મોદી (૯૬)નું કોલકાતામાં નિધન
• નવા વડા પ્રધાન મોદીની સાર્ક દેશોના વડા સાથે મુલાકાત
• ઉત્તર પ્રદેશમાં ટ્રેન દુર્ઘટનામાં ૨૬ લોકોનાં મોત

જૂન

• નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે અજિત દોવલની નિમણૂક
• લોકસભામાં કોંગ્રેસના નેતા પદે મલ્લિકાર્જૂન ખડગેની વરણી
• કેન્દ્રીય ગ્રામીણ વિકાસ પ્રધાન ગોપીનાથ મુંડેનું દિલ્હીમાં માર્ગ અકસ્માતમાં નિધન
• આંધ્ર પ્રદેશનું વિભાજન, તેલંગણ દેશનું ૨૯મું રાજ્ય બન્યું
• સહારા જૂથને વિદેશની હોટેલો વેચવા સુપ્રીમ કોર્ટની મંજૂરી
• મુકેશ અંબાણીના રિલાયન્સ જૂથે રૂ. ચાર હજાર કરોડમાં મીડિયા કંપની ખરીદી
• મુંબઇ બોંબ વિસ્ફોટ કેસમાં મુખ્ય કાતત્રાખોર યાકુબ મેમણની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
• સંસદના સંયુક્ત સત્રને સંબોધતાં રાષ્ટ્રપતિએ સરકાર સારા દિવસો લાવશે તેવી ખાતરી આપી
• ‘મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ’નો તાજ સુરતની અનુજ્ઞા શર્માના શિરે
• હિમાચલ પ્રદેશમાં બંધમાંથી પાણી છોડાતા ૨૪ વિદ્યાર્થી-શિક્ષક તણાયા
• જયપુરમાં ૪૭ ડિગ્રી તાપમાન, ગરમીનો ૧૧૬ વર્ષનો રેકોર્ડ તૂટ્યો
• રણવીર નકલી એન્કાઉન્ટર કેસમાં ૧૭ પોલીસ કર્મીઓને જનમટીપ
• વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાડોશી દેશ ભૂતાનની મુલાકાતે
• ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બી. એલ. જોશીએ રાજીનામું આપ્યું
• વિવાદાસ્પદ નિવેદન બદલ શંકરાચાર્ય સામે પોલીસ ફરિયાદ

(વધુ આવતા અંકે.....)


comments powered by Disqus