રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ આ માટેનો ફિઝિબિલીટી રિપોર્ટ થઈ ગયો છે અને એલાયન્સ એરના બે અધિકારીઓએ સર્વે
બાદ ફલાઈટ શરૂ કરવા મંજૂરી આપી છે.
ઓથોરિટી અને એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા પણ જરૂરી ક્લિયરન્સ મળી ગયા હોવાથી હવે માત્ર ફલાઈટ શરૂ કરવાની ઔપચારિકતા જ બાકી રહી છે. એલાયન્સ એર પ્રથમ ૭૦ બેઠકની ક્ષમતાવાળુ વિમાન ઉડાવશે. પછી ભવિષ્યમાં ટ્રાફિકને ધ્યાને લઈને મોટું વિમાન ઉડાવશે. રાજકોટના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન મોહનભાઈ કુંડારિયાએ પણ સમર્થન આપતાં જણાવ્યુ છે કે રાજકોટ-દિલ્હી-રાજકોટ વિમાની સેવા માટે તમામ પ્રકારની મંજૂરી મળી ગઈ છે. હવે વિમાની સેવા કયારથી શરૂ કરવી તેના માટે અનુકુળતા જોવાય છે.
અત્યારે રાજકોટ-મુંબઈ વચ્ચે જેટ એરવેઝની ચાર ફ્લાઈટ અને એરઈન્ડિયાની એક ફ્લાઈટ ચાલે છે.