ક્રાઈમ બ્રાન્ચે તિસ્તાને પણ સમન્સ મોકલી ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થવા જણાવ્યું છે. વેજલપુરમાં રહેતા ફિરોઝખાન પઠાણે ૪ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી આક્ષેપ કર્યો હતો કે, એડવોકેટ તિસ્તા સેતલવાડ, તેના પતિ જાવેદ આનંદ તથા તનવીર જાફરી, ગુલબર્ગ સોસાયટીના ચેરમેન સલીમ સિન્ધી તથા સેક્રેટરી ફિરોઝ ગુલઝાર મહોમ્મદ પઠાણે કાવતરૂ રચીને ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનોના અસરગ્રસ્ત લોકોના ફોટા સીજેપી તહેઆ સબરંગ નામની સંસ્થાની વેબસાઈટ પર અપલોડ કરીને તેના નામે ડોનેશન ઉઘરાવ્યું હતું. અને આ રૂપિયા પોતાના અંગત ખર્ચમાં વાપરી નાંખ્યા હતા. પોલીસે આ અંગે તિસ્તા સહિત પાંચ સામે ગુનો નોંધી તપાસ કરી હતી. આ અંગે ક્રાઈમ બ્રાન્ચે પખવાડિયા અગાઉ તિસ્તા અને તેના પતિના નિવેદન નોંધ્યા હતા.