• ‘આપ’ અને અરવિંદ કેજરીવાલે બહુ જલ્દી આ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ કારણે તેઓ તેમના પ્રતિસ્પર્ધીઓની સરખામણીમાં બહુ સારી રીતે અને વધારે પર્ફેક્ટ આયોજન કરી શક્યા હતા.
• દિલ્હીમાં કેજરીવાલ આ પહેલાં ૪૯ દિવસ સરકાર ચલાવી હતી. તેમણે આ સમયગાળામાં પોતાની ભૂલોની માફી માગી હતી અને બીજી તક આપવા માટે અપીલ કરી હતી. કેજરીવાલની આ વાત દિલ્હીવાસીઓના દિલને સ્પર્શી ગઈ હતી અને તેમણે કેજરીવાલને બીજી તક આપવાનું પસંદ કર્યું..
• દિલ્હીની ચૂંટણીમાં મોદીની દસ લાખ રૂપિયાનો સૂટ પહેરનારા વડા પ્રધાનની ઇમેજની સામે સીધા-સાદા મફલરધારી સામાન્ય વ્યક્તિની ઇમેજ બાજી મારી ગઈ હતી.
• એક અંદાજ પ્રમાણે મુસ્લિમોએ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો છે. આ મુસ્લિમ મતોએ ‘આપ’ની જીતમાં સિંહફાળો આપ્યો છે.
• કોંગ્રેસ આ વખતે મોટી સંખ્યામાં મતદારો ગુમાવ્યા છે. કોંગ્રેસના આ તૂટેલા મત સીધા ‘આપ’ને મળ્યા હતા. આ મતોને કારણે ‘આપ’ સ્પષ્ટ બહુમતી મેળવી શક્યો છે.
• લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મળી હોવાના કારણે ભાજપ બહુ આત્મવિશ્વાસમાં રહી હતી. પક્ષે આ કારણે દિલ્હીને શરૂઆતમાં ઉપેક્ષા કરી હતી. દિલ્હીમાં જ્યારે ભાજપ ચૂંટણીના મામલે ગંભીર બની હતી ત્યારે બાજી હાથમાંથી સરકી ગઈ હતી. કેજરીવાલ અને ‘આપ’એ એટલા સમયમાં કાઠું કાઢી લીધું હતું.
• કિરણ બેદીને દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવાનો ભાજપનો દાવ ઉલ્ટો પડ્યો. હકીકતમાં કિરણ બેદી સામે પક્ષની અંદર પણ ભારે વિરોધ હતો અને આંતરિક વિખવાદને કારણે ભાજપને ભારે નુકસાન પહોંચ્યું.
• દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં હિંદુ-મુસ્લિમ મતવિભાજન થયું નહોતું. આમ આદમી પાર્ટી સતત ધર્મના આધારે મતનું વિભાજન થાય એ સ્થિતી ટાળતું રહ્યું હતું, જે પક્ષ માટે ફાયદાકારક સાબિત થયું હતું.
• આ ચૂંટણીમાં વડા પ્રધાન મોદી માટે આશ્વાસન લેવાય એવી હકીકત એ છે કે આ વિધાનસભાની ચૂંટણી હતી. આ ચૂંટણી મોદીની પ્રતિષ્ઠાની નહીં, પણ કેજરીવાલની લોકપ્રિયતાની કસોટી અવશ્ય હતી. તેમણે ચૂંટણી જીતવા કમર કસી હતી.
• દિલ્હીમાં ભાજપને શાસકવિરોધી વલણનો કોઈ ફાયદો નથી થયો. લોકસભા અને અન્ય રાજ્યોની ચૂંટણીમાં ભાજપને આ લાભ મળ્યો છે, પણ દિલ્હીમાં આ પરિબળનો ફાયદો નથી થયો.