પ્રવાસી ભારતીય દિવસ નામે આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે, પરંતુ ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર ખાતે પ્રવાસી દિવસની કોઈ ઉજવણી કરવામાં આવી નથી અને આ સંદર્ભે કોઈ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું નથી. દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ ગાંધી જન્મસ્થળની મુલાકાતે આવે છે પરંતુ અહીં જ ભારતીય પ્રવાસી દિવસની ઉજવણીનો કોઈ ઉમંગ જોવા મળતો નથી.