મૂળ ખોલવડના NRIનું સન્માન

Friday 16th January 2015 08:19 EST
 
 

દક્ષિણ આફ્રિકામાં ચળવળ ઊગ્ર બનતા યુસફભાઈ અને પરિવારને આફ્રિકા છોડવું પડ્યું હતું અને તેઓ મુંબઈમાં આવ્યા હતા જ્યારે ભાઈઓ ઈંગ્લેન્ડ ગયા હતાં. તેઓ વિદેશમાં રહીને પણ દક્ષિણ આફ્રિકાની લડત ચલાવતા હતા. સ્વ. મંડેલાનો જેલમાંથી છૂટકારો થતાં આફ્રિકામાં નેશનલ કોંગ્રેસની સરકાર બનાવી હતી. સ્વ. મંડેલાની સરકારમાં યુસુફભાઈ વિદેશ પ્રધાન બન્યા હતા. પહાડ પરિવારનું યોગદાન દક્ષિણ આફ્રિકામાં આંખે વળગે તેવું છે.  અત્યારે તેઓ નિવૃત્ત જીવન ગાળે છે અને લેખન પ્રવૃત્તિ સાથે સામાજિક સેવા કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાંથી પ્રગટ થતાં The Thinker મેગેઝિનના તંત્રી છે. ખોલવડના ઇબ્રાહિમભાઇ દાઢીશેઠના તેઓ ભાણેજ થાય છે. મોસાળ અને વતન ખોલવડમાં યુસુફભાઇનું સ્વાગત થયું હતું. આ ઉપરાંત તેમણે કબ્રસ્તાનમાં માતાની કબરે જઇને દુઆ ગુજારીશ પણ કરી હતી.


comments powered by Disqus