૨૫ ડિસેમ્બરથી સુરત-મુંબઈ ફલાઇટ શરૂ થશે

Wednesday 23rd December 2015 08:10 EST
 
સુરતને એરપોર્ટ મુદ્દે થઇ રહેલા અન્યાય અંગે શહેરનાં યંગસ્ટર્સમાં રોષની લાગણી જોવા મળી રહી છે. રવિવારે ઉધના-મગદલ્લા રોડ પર યોજાયેલા યુ-ટર્ન કાર્યક્રમમાં યંગસ્ટર્સ દ્વારા વી વોન્ટ એરપોર્ટનું લખાણ કરી સુરતને ધમધમતું એરપોર્ટ આપવા માંગણી કરાઈ હતી.
 

સુરતઃ સુરત એરપોર્ટ પરથી ૨૫મી ડિસેમ્બરથી ઇન્ડિયન એરલાઇન્સની ૭૦ સીટર ફલાઇટ સુરત- મુંબઈ વચ્ચે શરૂ થશે. સુરતમાં ૮ વર્ષથી એરપોર્ટ હોવા છતાં હાલ એક માત્ર સુરત- દિલ્હીની ફલાઇટ ચાલુ છે, હવે ૨૫ ડિસેમ્બરથી મુંબઈની ફલાઇટ ચાલુ થવાની સાથે બે ફલાઇટનો લાભ સુરતના લોકોને મળશે. આ પહેલાં સ્પાઇસ જેટની ફલાઇટ સુરત- મુંબઈ વચ્ચે ઉડતી હતી, પરંતુ બફેલો હિટને કારણે સ્પાઇસે સુરત એરપોર્ટ પરની સેવા બંધ કરી દીધી હતી. ઇન્ડિયન એરલાઇન્સની ૭૦ સીટર ફલાઇટ મુંબઈથી સવારે ૭-૩૦ વાગે ઉપડશે અને સુરતથી ૮-૨૫ વાગે મુંબઈ જવા રવાના થશે.


comments powered by Disqus