આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે અમિત શાહને મળેલી ક્લીન ચીટની ટીકા કરી છે અને સીબીઆઈ પર કેસ નબળો બનાવવાનો આરોપ મુક્યો છે. દેશભરમાં બહુ ગાજેલા આ કેસમાં અમિત શાહને ગુજરાતના ગૃહ પ્રધાન પદેથી પણ રાજીનામું આપવું પડ્યું હતું.
ભાજપના જગદંબિકા પાલે વળતો જવાબ આપતા કહ્યું હતું કે દેશની અદાલતો આઝાદ છે. આ પ્રકારના આરોપોનું કોઈ જ મહત્વ નથી. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમિત શાહની વર્ષ ૨૦૧૦માં સીબીઆઈ દ્વારા ધરપકડ થઇ હતી. ત્રણ મહિના અમદાવાદની સાબરમતી જેલમાં પસાર કર્યા બાદ શાહ જામીન પર મુક્ત થયા હતાં.