એન્કાઉન્ટર કેસમાં અમિત શાહ નિર્દોષ

Wednesday 31st December 2014 09:30 EST
 
 

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે અમિત શાહને મળેલી ક્લીન ચીટની ટીકા કરી છે અને સીબીઆઈ પર કેસ નબળો બનાવવાનો આરોપ મુક્યો છે. દેશભરમાં બહુ ગાજેલા આ કેસમાં અમિત શાહને ગુજરાતના ગૃહ પ્રધાન પદેથી પણ રાજીનામું આપવું પડ્યું હતું.
ભાજપના જગદંબિકા પાલે વળતો જવાબ આપતા કહ્યું હતું કે દેશની અદાલતો આઝાદ છે. આ પ્રકારના આરોપોનું કોઈ જ મહત્વ નથી. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમિત શાહની વર્ષ ૨૦૧૦માં સીબીઆઈ દ્વારા ધરપકડ થઇ હતી. ત્રણ મહિના અમદાવાદની સાબરમતી જેલમાં પસાર કર્યા બાદ શાહ જામીન પર મુક્ત થયા હતાં.


comments powered by Disqus