કરનાળીને કેન્દ્રીય નાણા પ્રધાને દત્તક લીધું

Wednesday 31st December 2014 08:18 EST
 

વડોદરા જિલ્લાના ડભોઈ-તિલકવાડા પાસેના કુબેરી ભંડારીના એક માત્ર પૌરાણિક મંદિરવાળા આ ગામના વિકાસ પ્રત્યે ભારે ઉપેક્ષા થઇ રહી છે, તેવું ગ્રામજનો માને છે. કરનાળીમાં દર અમાસે બે લાખથી વધુ ભક્તો દર્શનાર્થે આવતા હોવા છતાં ટ્રાફિકની ગંભીર સમસ્યા  છે. જ્યારે ભક્તો માટે પણ વધુ સુવિધા ઉપલબ્ધ નથી. અન્ય પૌરાણિક મંદિરો અને ઘાટ માટે વિકાસ જરૂરી છે. તેમણે આ અંગે વડોદરાના કલેક્ટરને પત્ર લખી જાણ કરી છે.  મંદિરના મેનેજર રજનીભાઈ પંડ્યાએ આ અંગે જણાવ્યું હતું કે અહીં અનેક પૌરાણિક મંદિરો છે. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન કરનાળી ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ રહ્યું હતું.


comments powered by Disqus