લંડનવાસી મીનાબેન પટેલને ‘ધર્મજરત્ન’ એવોર્ડ અપાશે

Wednesday 31st December 2014 08:18 EST
 

નવમા ‘ધર્મજ ડે’ની તૈયારીઓ અંગે ઉજવણી સમિતિના સભ્ય રાજેશ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષની થીમ શુકનવંતા અને કંકુવર્ણા લાલ રંગની છે. તે મુજબ ખાસ ડિઝાઇનના આમંત્રણ પત્રો મોકલાયા છે. વિદેશવાસી ધર્મજીયનોને ઇન્ટરનેટ તથા ફેસબુકથી પત્રો મોકલ્યા છે.
દીકરીઓને યાદ કરીને બોલાવતું આ ધર્મજ પોતાના ગામની પુત્રવધૂઓને પણ પુત્રી સમાન માને છે. જે ભાવ દર વર્ષે અપાતા એવોર્ડમાં પણ પ્રતિબિંબિત થાય છે. નવમા ‘ધર્મજ ડે’માં આ પરંપરાને જાળવી રાખી ‘ધર્મજ રત્ન’ એવોર્ડ ગામના પુત્રવધૂ અને લંડનવાસી આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત પોર્સેલીન આર્ટીસ્ટ સુશ્રી મીનાબેન પટેલને એનાયત કરાશે. તેઓ માત્ર દસ વર્ષની ઉંમરથી જ આ કલા ક્ષેત્રે કાર્યરત છે. તેમણે અનેકવિધ આંતરરાષ્ટ્રીય સન્માન પણ મેળવ્યા છે.


comments powered by Disqus