વિહંગાવલોકન - ૨૦૧૪ઃ ગુજરાત

રાજ્યને પ્રથમવાર મહિલા મુખ્ય પ્રધાન મળ્યા

Wednesday 31st December 2014 08:35 EST
 

• વિપૂલ ચૌધરીને જીસીએમએમએફના ચેરમેન પદેથી હટાવાયા
• વડોદરામાં રૂ. ૫૧ કરોડનું કાળું નાણું ઝડપાયું
• વરિષ્ઠ ફોટોગ્રાફર પ્રાણલાલ પટેલ (૧૦૫)નું અમદાવાદમાં નિધન
• રાજ્યમાં અનેક સ્થળે કમોસમી વરસાદ
• ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન ‘ખૂશ્બુ ગુજરાત કી’ એડ ફિલ્મના શૂટિંગ માટે ફરીથી ગુજરાતમાં
• લાઠી-બાબરા બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડ ફરીથી ભાજપમાં જોડાયા
• હિંમતનગરમાં રાજ્યકક્ષાના ૬૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી
ફેબ્રુઆરી
• ગુજરાતમાં રાજ્યસભામાંથી ભાજપના ચુનીભાઇ ગોહેલ, લાલસિંહ વડોદિયા, શંભુપ્રસાદ ટુંડિયા અને કોંગ્રેસમાંથી મધુસૂદન મિસ્ત્રી બિનહરિફ ચૂંટાયા
• રાપરના ધારાસભ્ય વાઘજીભાઇ પટેલ (૬૭)નું હૃદયરોગમાં નિધન
• દંતાલી આશ્રમમાં ફાયરિંગ કેસમાં સ્વામી સચ્ચિદાનંદજી નિર્દોષ
• અમેરિકાના ભારતીય એમ્બેસેડર નેન્સી પોવેલ ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીની મુલાકાતે
• પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું
• લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા
• રમખાણ કેસમાં પૂર્વ પ્રધાન ડો. માયાબહેન કોડનાનીના જામીન લંબાવવા સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
• સુરતમાંથી રૂ. ૫૩ કરોડનું કાળું નાણું પકડાયું
• અંતે ગુજરાત પરિવર્તન પાર્ટીના મહામંત્રી ગોરધન ઝડફિયા પણ ભાજપમાં જોડાયા
માર્ચ
• જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં દસ લાખ લોકો ઉમટ્યા
• સુરતની સાધિકા યુવતી પર બળાત્કારના કેસમાં આસારામના પુત્ર નારાયણ સાંઇ સામે ચાર્જશીટ દાખલ
• મહેસાણાનો ચેસ પ્લેયર અંકિત રાજપરા ગ્રાન્ડમાસ્ટર બન્યો
• સુરતમાં રૂ. ૭૦૦ કરોડનું હવાલા કૌભાંડ પકડાયું
એપ્રિલ
• વર્ષ ૨૦૦૨ના કોમી રમખાણના પીડિતો માટે કથિત લડત ચલાવનારી તિસ્તા સેતલવાડ વિરુદ્ધ ફંડના દુરુપયોગ અને છેતરપિંડીનો ગૂનો નોંધાયો
• પોરબંદરના મૂળુ મોઢવાડિયા હત્યા કેસમાં કૃષિ પ્રધાન બાબુભાઇ બોખીરિયાને આરોપી ગણવાની અરજી સુપ્રીમે ફગાવી
• નરેન્દ્ર મોદીએ પોતે પરિણીત હોવાનું પ્રથમવાર સ્વીકાર્યું, વડોદરામાં ભરેલા ચૂંટણીના ઉમેદવારી પત્રકમાં જશોદાબેનને પત્ની ગણાવ્યા
• સૌરાષ્ટ્રના પ્રથમ મહિલા સાંસદ જયાબેન વજુભાઇ શાહ (૯૩)નું અમદાવાદમાં નિધન
• વિશ્વ હિન્દુ પરિષદના નેતા ડો. પ્રવીણ તોગડિયાએ ભાવનગરમાં વિવાદાસ્પદ નિવેદન કરતાં કેસ નોંધાયો
• રાજ્યમાં કમોસમી વાવાઝોડાંથી ૧૩ લોકોનાં મોત
• ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ૬૨ ટકા મતદાન નોંધાયું
મે
• બહુચર્ચિત તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ મુંબઇ ટ્રાન્સફર કરાયો
• વિવાદાસ્પદ સોહરાબુદ્દિન નકલી એન્કાઉન્ટર કેસમાં ૧૭ આરોપી જામીન પર છૂટ્યા
• રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન પદે આનંદીબહેન પટેલ આરુઢ
જૂન
• ફિશરીઝ કૌભાંડમાં પૂર્વ પ્રધાનો-દિલીપ સંઘાણી અને પરષોત્તમ સોલંકીની સંડોવણી હોવાનું તપાસમાં ખુલ્યું
• ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ
• એકમાત્ર જૂનાગઢ મહાનગરપાલિકા પણ કોંગ્રેસે ગુમાવી, આઠ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા
• વડોદરા બેઠક પરથી નરેન્દ્ર મોદીએ રાજીનામું આપ્યું, વારાણસી બેઠક જાળવી રાખી
• અક્ષરધામ હુમલા કેસમાં બે આરોપીઓનો નિર્દોષ છૂટકારો
• રાજ્યમાં આકરી ગરમીથી ૧૫ લોકોનાં મોત
• હીરા વેપારીનું રૂ. ૪૦ કરોડમાં ઉઠમણું, સુરતના વેપારીઓમાં ફફડાટ
• મોડાસામાં ૬૦ વર્ષની રાજસ્થાની મહિલાએ સંતાનને જન્મ આપ્યો
• શામળાજીમાં ભગવાનને ૩૦ કિલો ચાંદી અર્પણ
• કચ્છના ૨૦૩ ગામડામાં પાણીની તીવ્ર તંગી
• નર્મદા બંધની ૧૩૮ મીટર થશે, ગુજરાતની વર્ષોજૂની માગ મંજૂર થઇ
• અંતે રાજ્યમાં મેઘરાજાની પધરામણી, કોડિનારમાં ૧૬ ઇંચ વરસાદ ખાબક્યો
• પાટણીની રાણકી વાવને યુનેસ્કોની વિશ્વ વિરાસત યાદીમાં સ્થાન મળ્યું
• જૈન શ્રેષ્ઠી શ્રેણિક લાલભાઇ (૮૭)નું અમદાવાદમાં અવસાન
• પાલિતાણામાં પશુ હિંસાના વિરોધમાં ૫૦૦ જૈન સાધુઓના ઉપવાસ
• ઓછા વરસાદને કારણે કચ્છના ૧૨૧ ગામો અર્ધઅછતગ્રસ્ત જાહેર
• દક્ષિણ ગુજરાતના ૧૫૦ શ્રમિકો ઇરાકમાં ફસાયા
જુલાઇ
• અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૩૭મી રથયાત્રા નીકળી, મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પ્રથમવાર પહિંદ વિધિ કરી
• ગુજરાતના રાજ્યપાલ ડો. કમલા બેનિવાલની મિઝોરમમાં બદલી, ઓમપ્રકાશ કોહલી નવા રાજ્યપાલ બન્યા
• અંતે રાજ્યમાં મેઘરાજાનું ધીમા પગલે આગમન
• લાહોરના મ્યુનિસિપલ તંત્રે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટનો અભ્યાસ કર્યો
• ધનસુરાના રાહુલ વિનોદભાઇ પટેલની અમેરિકામાં લૂંટના ઇરાદે હત્યા
• લોકસાહિત્યકાર બાબુભાઇ રાણપુરા (૭૦)નું સુરેન્દ્રનગરમાં અવસાન
• જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને બહુમતી
• રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર નાનકભાઇ (૮૨)નું અવસાન
• વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટમાં યુકે પાર્ટનર તરીકે જોડાશે
• ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટને કેન્દ્ર સરકારની મંજૂરી
• દક્ષિણ ગુજરાત અને વડોદરામાં મેઘમહેર, વિશ્વામિત્રીમાં પૂર
ઓગસ્ટ
• નરોડા પાટીયા રમખાણ કેસમાં પૂર્વ પ્રધાન ડો. માયાબેન કોડનાની જામીન પર મુક્ત
• એરફોર્સનું વિમાન કચ્છના નખત્રાણા પાસે દુર્ઘટનાગ્રસ્ત, પાયલોટનો બચાવ
• હાસ્ય કલાકાર કિરીટ વ્યાસ (૭૪)નું રાજકોટમાં નિધન
• વડોદરાવાસી દાતા દ્વારા અંબાજી મંદિરને એક કિલો સોનાની ભેટ
• કચ્છ સરહદે આતંકવાદી હાફિઝ સઇદ દેખાયો હોવાનો બીએસએફ દ્વારા સ્વીકાર
• પાટણમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
• ગીરના સિંહોને મધ્યપ્રદેશ મોકલવા સામેની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી
• ગુજરાત વિધાનસભાના સ્પીકર વજુભાઇ વાળાની કર્ણાટકના રાજ્યપાલ પદે નિમણૂક
સપ્ટેમ્બર
• રાજ્યભરમાં ભારે વરસાદ
• રાજ્યમાં ગણેશ વિસર્જન વખતે વિવિધ સ્થળે ૧૩ લોકોનાં મોત
• ભાદરવી પૂનમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર
• યુકેના મિનિસ્ટર ઓફ જસ્ટિસ શૈલેષ વારા ગુજરાતની મુલાકાતે
• ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગ અને વડા પ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે
• પેટાચૂંટણીઃ વડોદરા લોકસભા સીટ ભાજપને ફાળે- વિધાનસભાની નવ બેઠકોમાંથી કોંગ્રેસની ૩ બેઠક પર જીત
• નરેન્દ્ર મોદી માટે ભૂજથી માતાના મઢ સુધી ૧૦૦ કિલોમીટર દંડ્વત સાથે માનતા પૂર્ણ કરી
• સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ વિધવા પુત્રવધૂનું કન્યાદાન કરી રૂ. ૧૦૦ કરોડનો હિસ્સો આપ્યો
• રાજ્યમાં અનેક સ્થળે વરસાદથી નવરાત્રિ બગડી
ઓક્ટોબર
• ગાંધીનગર નજીક રૂપાલની પલ્લીમાં ભક્ત મહેરામણ ઉમટ્યો
• કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડ
• મહાનગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકાની ૪૬ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને ૩૪ બેઠકો મળી
• મધ્ય-દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ
• રાજકોટ (પશ્ચિમ) વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના વિજય રૂપાણીની જીત
• કેદારનાથમાં પૂર પીડિતો માટે મોરારિબાપૂ દ્વારા રૂ. ૧૦ કરોડના દાનનું વિતરણ
• એક વૈષ્ણવ ભક્તે ડાકોરમાં ભગવાન રણછોડરાયને રૂ. બે કરોડનો મુગટ અર્પણ કર્યો
• સુરતની ડાયમંડ કંપનીએ કર્મચારીઓને બોનસમાં કાર, ઘરેણાં અને મકાન આપ્યા
નવેમ્બર
• રાજ્યના નવા મુખ્ય સચિવ પદે ડી. જે. પાંડિયનની વરણી, ડો. એસ. કે. નંદા કપાયા
• વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં અમેરિકાની પણ ‘પાર્ટનર કન્ટ્રી’ તરીકે જોડવાની જાહેરાત
• ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ કુલનાયક પદે ડો. અનામિક શાહની વરણી
• સટ્ટાકિંગ દિનેશ કલગીનું અમદાવાદમાં મોત
• આનંદીબેન પ્રધાન મંડળમાં પાંચ સંસદીય સચિવોની નિમણૂક
• ગુજરાત વિધાનસભાના સ્પીકર પદે ગણપતભાઇ વસાવાની ફરીથી વરણી
• સુરત એરપોર્ટ પર ભેંસ વિમાન સાથે અથડાઇ, મોટી દુર્ઘટના ટળી
• એક શિવભક્તે સોમનાથ મંદિરમાં ૫૧ કિલો સોનું ચડાવ્યું
• ગોધરાકાંડ અને કોમી રમખાણો અંગેનો નાણાવટી પંચનો અંતિમ અહેવાલ ૧૨ વર્ષ પછી સરકારને સુપરત
• મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ વિવિધ બોર્ડ-નિગમમાં ભાજપના ૬૭ કાર્યકરોની ચેરમેન, વાઇસ ચેરમેન અને ડિરેક્ટર પદે નિમણૂક કરી
• વડોદરાના રાજવી સમરજિતસિંહ ગાયકવાડ, નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારી ડી. ડી. તૂટેજા, ગાયક અરવિંદ વેગડા ભાજપમાં જોડાયા
• ગોધરાકાંડના આરોપીના પાકિસ્તાની યુવતી સાથે નિકાહ
• વડોદરા-સુરતમાંથી રૂ. ૫૪ કરોડનું કાળું નાણું પકડાયું
• કેબિનેટ પ્રધાન બાબુભાઇ બોખીરિયા સહિત ચાર આરોપી રૂ. ૫૪ કરોડની ખનીજ ચોરીના કેસમાં નિર્દોષ છૂટ્યા
• આનંદીબેન પટેલ સરકારમાં નવા ચાર પ્રધાનોનો સમાવેશ
ડિસેમ્બર
• વડોદરાના વતની કૃષિ વૈજ્ઞાનિક પૂર્વી મહેતા ભટ્ટની બિલ ગેટ્સના સલાહકાર તરીકે નિમણૂક
• જામનગરમાં એક દિવસમાં વિવિધ નવ રેકોર્ડ નોંધાયા
• જાણીતા ગાયિકા નિરુપમાબહેન શેઠનું મુંબઇમાં નિધન
• પાણીના અભાવે કચ્છના ૩૫૩ ગામ અછત-અર્ધઅછતગ્રસ્ત જાહેર
• વિશ્વવિખ્યાત જામનગરની બાંધણીને પેટન્ટ મળી
• ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવા મુસ્લિમ અગ્રણીની ભાવનગરમાં માગ


comments powered by Disqus