મહેસાણા જિલ્લાના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ જે.આર. મોથલીયાએ કહ્યું છે કે તેમણે (જશોદાબેને) જે માહિતી માગી છે તે સ્થાનિક ઈન્ટેલિજન્સ બ્યૂરો સંબંધિત છે તેથી એમને માહિતી આપી શકાય એમ નથી. અમે તેમને આની જાણ કરતો લેખિત સંદેશો મોકલી આપ્યો છે. જશોદાબેને ૨૪ નવેમ્બરે મહેસાણા પોલીસમાં આરટીઆઈ અરજી નોંધાવી હતી અને પોતાને કયા નિયમ હેઠળ, કોના આદેશાનુસાર સલામતીનું કવચ આપવામાં આવ્યું છે તે જણાવતા એ તે દર્શાવતા દસ્તાવેજોની કોપી આપવાની માગણી કરી હતી. જશોદાબેને તેમને આપવામાં આવેલા સુરક્ષા કવચ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.