ગંગામાં માત્ર વારાણસી પાસે વર્ષે ૩૦૦૦ મૃતદેહ વહેતા મૂકાય છે

Wednesday 27th January 2016 07:10 EST
 
 

નવી દિલ્હીઃ અતિ પવિત્ર ગંગા નદી અતિશય પ્રદૂષિત હોવાનું સૌથી મોટું કારણ તેમાં વહેતા મુકાતા મૃતદેહો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (એનજીટી) દ્વારા જાહેર કરવામાં આવેલા ચોંકાવનારા આંકડાઓ પ્રમાણે માત્ર વારાણાસી જ ગંગાને દર વર્ષે ૩ લાખ માનવ મૃતદેહોની ભેટ આપે છે.
ગંગા નદીમાં વ્યક્તિનો મૃતદેહ વહેવડાવી દેવાથી જીવને મોક્ષ મળે છે એવી પૌરાણિક માન્યતા આ નુકસાનકારક પ્રથા પાછળ કારણભૂત છે. કાશી આવતા લોકો પોતાના સ્વજનોનું અવસાન થયા બાદ તેમની અંતિમક્રિયા કરવાને બદલે શરીરને નદીમાં વહેતા મૂકી દે છે. દિન-પ્રતિદિન વધતી લાશો ગંગાને પ્રદૂષિત કરે છે. માનવ-લાશો સિવાય પણ ગંગામાં ભળતા પ્રદૂષણનો પાર નથી. પશુઓના અંદાજે ૬૦૦૦ મૃતદેહો ગંગામાં ભળે છે. આ મૃતદેહો ગંગાના પાણી ઉપરાંત કાંઠા વિસ્તારની હવા પણ અશુદ્ધ કરે છે. જાન્યુઆરી ૨૦૧૫માં કાનપુર પાસે ૧૦૦થી વધારે માનવ-લાશો તરતી હોવાનું ધ્યાનમાં આવ્યા પછી ટ્રિબ્યુનલે તપાસ આદરી હતી. એ તપાસમાં આ વિગતો સામે આવી છે.


comments powered by Disqus