ચોરવાડના આંગણે શિવ મહોત્સવ

Wednesday 02nd March 2016 07:03 EST
 
 

ચોરવાડઃ ચોરવાડ ખાતે તપોભૂમિ શ્રી ડડેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય શિવ મહોત્સવ ‘રુદ્રાક્ષોત્સવ’ અને ‘ચોરવાડોત્સવ’ શરૂ થયો છે. જે આઠ માર્ચ સુધી ચાલશે. આ શિવ મહોત્સવમાં ૨૫ લાખ રુદ્રાક્ષ દ્વારા વિશ્વનું સૌથી ઊંચું ૩૩ ફૂટનું શિવલિંગ બન્યું છે અને લિમ્કા બુકમાં સ્થાન પામ્યું છે. આ શિવલિંગ ઉપર અભિષેક કરવા માટે સીડીની વ્યવસ્થા છે. મોટી વયના શિવભક્તો માટે લિફ્ટની સુવિધા છે. દેશવિદેશમાં આ શિવ મહોત્સવ પ્રસંગે ‘ઓમ નમઃ શિવાય’ પંચાક્ષર મંત્ર લેખન છેલ્લા ૮ મહિનાથી થઈ રહ્યું છે. આ મંત્રોની સંખ્યા પણ ત્રણ કરોડથી વધુ થશે. જેમાં ૨૨ લાખ મંત્રો કેનેડાથી આવ્યા છે. ૨૯થી શરૂ થયેલા શિવ મહાપુરાણ કથાના વકતા બટુકભાઈ વ્યાસ છે. સનાતન સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શ્રીમતી કોકિલાબહેન અંબાણી, મુકેશભાઈ અંબાણી, અનિલભાઈ અંબાણી, મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ દ્વારકાના જગતગુરુ શંકરાચાર્યજી, યોગગુરુ રામદેવજી બાબા, કથાકારો, રમેશભાઈ ઓઝા, મોરારિબાપુ, સત્તાધારના ગોવિંદબાપુ વગેરે ઉપસ્થિત રહેશે.


comments powered by Disqus