અમદાવાદઃ જાણીતા નાટ્યકાર-લેખક અને પ્રો. હસમુખ બારાડીનું ૭૯ વર્ષની વયે ચોથી ફેબ્રુઆરીની રાત્રે અવસાન થયું હતું. જીવનના તખ્તા પરથી અંતિમ એક્ઝિટ કરતા પહેલા તેમણે તાજેતરમાં ૩ બુકના કામને પૂર્ણ કર્યું હતું. તેમણે વર્ષો સુધી આકાશવાણી અને દૂરદર્શન પર નાટ્યલેખક અને નિર્માતા તરીકે સેવા આપી હતી. સરકારી વિનિમય કાર્યક્રમ અંતર્ગત મોસ્કો રેડિયોના ગુજરાતી વિભાગના કાર્યક્રમ-આયોજક રહ્યા હતા. રંગભૂમિ વિશેના વિવેચનાત્મક લેખોનો સંગ્રહ ‘નાટક સરીખો નાદર હુન્નર’ (૧૯૮૩) ગુજરાતી રંગભૂમિમાં પ્રવર્તતી એકવિધતા અને પ્રોસિનિયમના ધંધાદારી વિનિયોગની સામે વિરોધનો સૂર પ્રગટ કરતો જાણીતો
બન્યો હતો.

