પોરબંદરના યુવાને ઇઝરાયલમાં જીવન ટૂંકાવ્યું

Wednesday 31st May 2017 10:49 EDT
 

પોરબંદરઃ જિલ્લાના ગરેજ ગામનાં વતની અને છેલ્લા આઠ વર્ષથી ઇઝરાયલમાં સ્થાયી થયેલા ભીમભાઈ મોઢવાડિયાએ પોતાના જ ગળામાં ચાકુના ઘા મારીને જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જોકે, યુવાને જાતે જીવન ટૂંકાવ્યું હોવાની વાત સ્વીકારવા પરિવારજનો તૈયાર નથી. હાલ તો પરિવારજનોએ ભારતીય દૂતાવાસ મારફતે મૃતદેહને વતન પરત લાવવાની તજવીજ હાથ ધરી છે.


comments powered by Disqus