BAPS નીસડન મંદિરના ટ્રસ્ટી મગનભાઈ પટેલનું નિધન

Wednesday 27th September 2017 09:01 EDT
 
 

મૂળ સુણાવના અને લંડનમાં સ્થાયી થયેલા BAPS – નીસડન મંદિરના ટ્રસ્ટી મગનભાઈ હાથીભાઈ પટેલનો ૯૨ વર્ષની વયે સોમવાર તા.૨૫-૯-૨૦૧૭ના રોજ સ્વર્ગવાસ થયો છે. તેમનો જન્મ તા.૫-૨-૧૯૨૫ના રોજ ગુજરાતના સુણાવમાં થયો હતો. તેમણે શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત ૧૯૫૨માં કેન્યાના એલ્ડોરેટની પ્રાઈમરી સ્કૂલમાં કરી હતી. બાદમાં તેઓ લંડન આવ્યા હતા. ૧૯૯૫માં લંડન મંદિર ખૂલ્યું ત્યારથી તેઓ એક્ઝિબિશન ડેસ્ક પર સેવા આપતા હતા. તેઓ તેમની પાછળ ચાર સંતાનો, ૯ ગ્રાન્ડ ચીલ્ડ્રન અને ૭ ગ્રેટ ગ્રાન્ડ ચીલ્ડ્રન છોડી ગયા છે. સદગતનું ફ્યુનરલ શનિવાર તા.૩૦-૯-૨૦૧૭ સવારે ૧૦.૪૫ વાગે Chilterns Crematorium, Whielden Lane, Amersham, HP7 0ND રાખવામાં આવ્યું છે. જીતુ પટેલ 07836 347 222 યોગેશ પટેલ 07836 592 131


comments powered by Disqus