આગામી ક્રિકેટ વર્લ્ડ કપને લીધે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ આ સમરમાં વાર્ષિક ‘આનંદ મેળો’ યોજશે નહીં. યુકેના સાંસ્કૃતિક ઉત્સવો પૈકી એક એવા બે દિવસીય આનંદ મેળાનું દર વર્ષે હેરો લેઝર સેન્ટર ખાતે આયોજન કરવામાં આવે છે. ‘આનંદ મેળા’ને માણવા માટે હજારો લોકો ઉમટે છે. તેમાં ફૂડ, ફેશન, વેડિંગ, બ્યૂટી, પ્રોપર્ટી અને ઈન્વેસ્ટમેન્ટ, હેલ્થ અને વેલબીઈંગને લગતા વિવિધ પ્રકારના સ્ટોલ્સ રાખવામાં આવે છે.

