વેમ્બલીના સેવાભાવી ડો. એન.સી. અમીનનું દુઃખદ અવસાન

Wednesday 18th September 2019 08:09 EDT
 
 

ડો. નરેન્દ્રભાઈ ચિમનભાઈ અમીન (ડો. એન.સી. અમીન)નો જન્મ ૧૧ ઓગસ્ટ, ૧૯૪૦ના રોજ પિતા સી ડી અમીન MBE અને માતા કુમુદબેન અમીનને ત્યાં મોમ્બાસામાં થયો હતો. તેમણે તેમનો ઉચ્ચ અભ્યાસ ભારતના મેંગ્લોરમાં પૂર્ણ કર્યો હતો અને ૧૯૬૪માં ડોક્ટર બન્યા હતા.

૧૯૬૮થી ૧૯૭૦ વચ્ચે કેન્યાટા નેશનલ હોસ્પિટલમાં સર્જિકલ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવવા તેઓ કેન્યા પાછા ફર્યા તે પહેલા તેમણે મુંબઈમાં ફર્સ્ટ મેડિકલ હાઉસમેન તરીકે કામ કર્યું હતું.

ઓક્ટોબર ૧૯૭૦માં સુધા (ની પટેલ) સાથે તેમના લગ્ન થયા હતા અને ૧૯૭૧માં તેઓ યુકે આવીને કેટ્ટેરિંગમાં સ્થાયી થયા હતા. તેમણે કેટ્ટેરિંગ જનરલ હોસ્પિટલમાં સર્જિકલ સ્પેશિયાલિટીમાં ફરજ બજાવવાનું ચાલુ રાખ્યું હતું.

૧૯૭૨માં તેમને ત્યાં પ્રથમ સંતાન સોનલનો જન્મ થયો હતો. તેઓ પરિવાર સાથે ૧૯૭૯માં લંડન આવ્યા હતા, જ્યાં ડો. એન સી અમીન પોતાની પ્રેક્ટિસ કરતાં GP બન્યા હતા. બાદમાં તેમને ત્યાં ૧૯૮૨માં તેજલ અને ૧૯૮૩માં નિખિલનો જન્મ થયો હતો. ૨૦૦૩માં તેઓ નાતાલિયાના સ્નેહાળ દાદા બની ગયા હતા.

તેમણે ઈન્ડિપેન્ડન્ટ GP અને તેમના પ્રાઈમરી કેર ટ્રસ્ટ માટે ક્લિનિકલ લીડ તરીકે પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. ૨૦૦૪માં તેઓ રિટાયર થયા ત્યાં સુધી તેમણે વેમ્બલીના લોકોની સેવા કરી હતી.

૧૨ સપ્ટેમ્બર, ૨૦૧૯ને ગુરુવારે પરિવારના સભ્યોની હાજરીમાં તેમનું દુઃખદ અવસાન થયું. એક પ્રેરણાસ્ત્રોત તરીકે અને પોતાનો સમય ફાળવીને મદદ તથા સલાહ પૂરી પાડનારી એક ઉદાર વ્યક્તિ તરીકે સૌ તેમને યાદ રાખશે. તેઓ ઉમદા અને વિનમ્ર વ્યક્તિ હતા. સૌને તેમની ખોટ સાલશે.

અત્યંત દુઃખની આ ઘડીમાં ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ની સમગ્ર ટીમ તેમના પરિવારની સાથે છે અને ડો. એન સી અમીનના દુઃખદ નિધનને લીધે વ્યથિત થયેલા સૌ કોઈને સાંત્વના પાઠવે છે.

તેમનું ફ્યુનરલ તા.૨૧.૯.૨૦૧૯ને શનિવારે સવારે ૧૦ વાગે The North Chapel, West Herts Crematorium in Watford (WD25 0JS) ખાતે રાખવામાં આવેલ છે.

સંપર્ક. સોનલ અમીન 07590 689 360, તેજલ અમીન 07931 721 484 અને નિખિલ અમીન 07769 356 910


comments powered by Disqus