નાઈરોબીઃ નિષ્પક્ષ સુનાવણી અને ટ્રાયલના અધિકારમાં અવરોધ ઉભો કરનારા સુપ્રીમ કોર્ટના નિર્ણય બદલ Ksh ૨.૮ મિલિયનના વળતરનો આદેશ કરતા ઈસ્ટ આફ્રિકા કોર્ટ ફોર જસ્ટિસના ચુકાદાને કેન્યાના રાજકારણી માર્થા કરુઆએ આવકાર્યો હતો. નાર્ક કેન્યા પાર્ટીના નેતા કરુઆએ ૧લી ડિસેમ્બરે જણાવ્યું હતું કે રિજનલ કોર્ટના ચુકાદાએ દર્શાવ્યું છે કે કેન્યાના ન્યાયતંત્રે કિરિન્યાગાના ગવર્નર એન વઈગુરુ સામે તેમણે કરેલા કેસની સુનાવણીમાં કાયદાનું પાલન કર્યું ન હતું.
ન્યાયતંત્રના પ્રાંગણમાં ઘણાં સંઘર્ષ પછી ન્યાય મળ્યો છે વાતનો મને ખૂબ આનંદ છે. ન્યાયને હંમેશા માટે દબાવી શકાય નહીં. કરુઆએ ઉમેર્યું કે તેમને ગુબેરનેટોરિયલની બેઠક મળશે નહિ. કેન્યાનું ન્યાયતંત્ર ખુલ્લું પડી ગયું છે અને મામલાની હકીકત બહાર આવી ગઈ છે.
તેમણે કહ્યું કે પિટિશન પાછળ મેં જે ખર્ચ કર્યો છે તેના કરતાં મને ખૂબ ઓછું વળતર મળ્યું છે. પરંતુ, સુપ્રીમ કોર્ટમાં મારા કેસ પર ખરાબ રીતે કામ થતું હતું અને હકીકતો જણાવ્યા વિના કેસ કાઢી નંખાયો હતો તેના વિશે મારા સમર્થકો અને કેન્યાના લોકોને જાણ થઈ છે તેનાથી હું ખૂબ ખુશ છું.