લંડનઃ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા ભારતના ભાગેડુ ડાયમંડ કિંગ નીરવ મોદીની જેલ કસ્ટડી અને રિમાન્ડમાં વધારો કરવામાં આવ્યો છે. પંજાબ નેશનલ બેંક સાથે કરોડોની છેતરપિંડીના કૌભાંડમાં પ્રત્યર્પણના કેસનો સામનો કરી રહેલા નીરવ મોદીની કસ્ટડી ૨૮ દિવસ માટે વધારવામાં આવી છે. તેને લંડનની વેન્ડ્સવર્થ જેલમાં ૨૯ ડિસેમ્બર સુધી રાખવામાં આવશે. ત્યારબાદ પણ તેની કસ્ટડીમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે.