બ્રિટનના વિદેશ પ્રધાન માનનીય ડોમિનિક રાબને ખુલ્લો પત્ર

Wednesday 09th December 2020 07:10 EST
 
 

પ્રિય ડોમિનિક
હું જાણું છું કે સ્લાઉના સાંસદ ટાન ધેસી અને લેબર પાર્ટીના અન્ય ૩૦ જેટલા સાંસદોએ ભારતની આંતરિક બાબતો સંબંધિત બનાવટી રોષ સાથે તમને એક પત્ર પાઠવ્યો છે. એક તો ચોક્કસ છે જે તમે અને હું, બંને જાણીએ છે કે ભારત વિશ્વની સૌથી માટી લોકશાહી છે અને વડા પ્રધાન મોદીએ સ્પષ્ટ બહુમતી સાથે તેમનો બીજો વિજય હાંસલ કર્યો છે. આથી, મને ખાતરી છે કે કેટલાક લેબર સાંસદોએ મિત્ર રાષ્ટ્રના આંતરિક રાજકારણમાં હસ્તક્ષેપ કરવા તમને પત્ર લખવાનો સમય કાઢ્યો તેનાથી તમને અવશ્યપણે આશ્ચર્ય થયું હશે.
લેબર પાર્ટીમાં આપણી નજર સામે જ આંતરિક વિસ્ફોટ જોવા મળે છે. તે રેસિસ્ટ અને યહુદીવાદ વિરોધી હોવાનું સ્પષ્ટ થયું છે. હાલમાં જ તે ઈક્વલિટીઝ લોના નોંધપાત્ર પાસાઓના ઉલ્લંઘન બદલ દોષિત હોવાનું EHRCને જણાયું છે. લેબર પાર્ટીના જ પૂર્વ નેતા ગેરવાજબી વ્યવહાર બદલ પોતાના જ પક્ષને કોર્ટ્સમાં ઘસડી જવાની ધમકી આપી રહ્યા છે. ભયંકર મહામારીના સંજોગો વચ્ચે પણ લેબર પાર્ટી કોવિડ-૧૯ સંબંધિત એક અતિ મહત્ત્વપૂર્ણ પાર્લામેન્ટરી મતદાનમાં ગેરહાજર રહી હતી. ખુદ તેમના ‘વોટ બેન્ક મિત્રો’, મુસ્લિમ સભ્યો પણ પક્ષમાં વધતા ઈસ્લામોફોબિયા વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
મારે એ પણ જણાવવું રહ્યું કે કેટલાક લેબર સાંસદો તેમના ભારતવિરોધી ઓળખનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. તેમણે અયોગ્ય અશ્વેત રંગના હોવાં વિશે પ્રીતિ પટેલની અણછાજતી ટીપ્પણો કરી છે, તેમણે ભારે સફળ અને ધનવાન હોવા બાબતે રિશિ સુનાક પર પણ હુમલા કર્યા છે. આ એ જ લેબર પાર્ટી છે જેણે, કાશ્મીર મુદ્દે ભારતવિરોધી ઠરાવ પસાર કર્યો હતો. આ જ પક્ષ વડા પ્રધાન મોદી સામે યુકેની મુલાકાત લેવા પર પ્રતિબંધ લાદવા ઈચ્છતો હતો. આપણે જાણીએ છીએ કે લેબર રાજકારણીઓ તેમના ઉદ્દેશ્યથી ભટકી ગયેલા છે. આ દુર્ભાગી આત્માઓ માત્ર તેમનો રાહ જ ભટકી ગયા નથી, તેઓ નીતિમત્તા અને નૈતિક નિષ્ફળતાઓના દુઃસ્વપ્નમાં જ જીવી રહ્યા છે.
યુકેના સદ્ભાગ્યે આપણી પાસે કન્ઝર્વેટિવ સરકાર છે જે, આંતરરાષ્ટ્રીય રાજકારણ અને મિત્રરાષ્ટ્રો સાથે વૈશ્વિક ભાગીદારીના મહત્ત્વને બરાબર સમજે છે. તમે પણ ચોક્કસપણે જાણો છો કે ભારતીય સંસદના બંને ગૃહોમાં બે તૃતીઆંશ બહુમતી સાથે આર્ટિકલ ૩૭૦ને રદ કરીને ઐતિહાસિક અન્યાય - ભૂલને નિવારવા ભારતે યોગ્ય પગલું લીધું છે. ૭૦ વર્ષમાં સૌપ્રથમ વખત બધા ભારતીયો એક બંધારણ હેઠળ સમાન અધિકાર ધરાવતા થયા છે પરંતુ, અગમ્ય કારણોસર લેબર પાર્ટીને આ પચાવવું મુશ્કેલ જણાયું છે.
તાજેતરમાં જ ભારત સરકારે નવું ફાર્મર્સ બિલ રજૂ કર્યું હતું જેને બંને ગૃહ દ્વારા પસાર કરાયું હતું. આનાથી તમામ ખેડૂતોને એવાં અધિકારો પ્રાપ્ત થાય છે જેના પરિણામે નાણા ધીરનારાઓ તેમજ અન્ય ગેરકાયદે કાર્ટેલ્સ (ઉત્પાદક સંઘો) તેમનું શોષણ કરી શકશે નહિ. આના કારણે પરેશાન થયેલા ખંડણીના રેકેટમાં સંડોવાયેલા લોકો તેમજ યુકે અને કેનેડાના કેટલાક લોકોએ ભારતમાં સરકારવિરોધી વર્તમાન આંદોલન ચલાવવા ભરપૂર નાણાભંડોળ આપ્યું છે. આ બદમાશ લોકો પાકિસ્તાન દેશના એજન્ટ બની ગયેલા કટ્ટરવાદી ખાલિસ્તાની તત્વો સાથે સંકળાયેલા છે. કોઈ પણ રાજકારણી અથવા તો રાજકીય પક્ષ કેવી રીતે ત્રાસવાદીઓ અને કટ્ટરવાદીઓને સાથ આપવાનું વિચારી શકે? બહુમતી શીખ લોકો અને ભારતના લોકો ભારત સરકારની સાથે છે. ભારત આત્મવિશ્વાસ સાથે ૨૧મી સદીના પડકારોનો સામનો કરવા આગેકૂચ કરી રહ્યું છે. પાકિસ્તાન અથવા ચીન જેવા શઠ-બદમાશ દેશોથી વિપરીત, ભારત જીવંત લોકશાહી સાથે ધબકતો દેશ છે. ભારતીયો તો વિશ્વના કોઈ પણ ખૂણે વસતા હોવા છતાં હંમેશાં યોગદાન આપવામાં અગ્રેસર જ રહ્યા છે. અમારી સ્વાભાવિક પ્રકૃતિ જ અમે કોઈ પણ દેશ અથવા સમાજમાં રહેતા હોઈએ તેને આગળ વધારવાની રહી છે. અમે રાષ્ટ્રના નિર્માણકારો છીએ.
બ્રિટનને કદી અરાજકતાવાદીઓ અને કટ્ટરવાદીઓના હમદર્દોનું સમર્થન કરનારા દેશ તરીકે નિહાળી શકાય નહિ. હું તો માનું છું કે તેમના આવા કંગાળ – દયનીય પત્રનો તાર્કિક ઉત્તર તો માત્ર ‘ધેસી કી ઐસી કી તેસી’ જ હોઈ શકે. મને ખાતરી છે કે આનું ભાષાંતર કરવામાં નંબર ૧૧ અવશ્ય મદદરુપ બની શકશે. આ પણ વિચારીએ કે આપણે હવે વેક્સિનેશનના માર્ગે આગળ વધીને આપણા દેશને સ્વસ્થ બનાવીએ. બ્રેક્ઝિટ પછી, ૨૦૨૧માં આપણા દેશનું નિર્માણ કરવાનો સમય પાકી ગયો છે.
- કપિલ દુદકિયા


comments powered by Disqus