પાકિસ્તાન – ચીન સીમાવિવાદ સર્જી ભારત સામે ભય ઊભો કરે છે: રાજનાથ

Friday 16th October 2020 06:19 EDT
 
 

નવી દિલ્હી: ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે ૭ રાજ્યોના સીમડાના વિસ્તારોમાં બનેલા ૪૪ પુલોનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદઘાટન કર્યું હતું. રાજનાથે અરુણાચલ પ્રદેશમાં એક સુરંગનો શિલાન્યાસ પણ કર્યો હતો. રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાન અને ચીન સાથે આપણી ૭૦૦૦ કિ.મી.ની સરહદો છે. ૪૪ પૈકી ૧૦ પુલ જમ્મુ કાશ્મીરમાં, ૮ લદાખ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં, તેમજ ૪ સિક્કિમમાં છે. જે બ્રિજ ખુલ્લા મુકાયા છે તેમાં એક દર્બુકથી શ્યોક અને દૌલતબેગ ઓલ્ડી સુધી જતા રસ્તે છે. આ પુલની ક્ષમતા ટેન્કો સહિત ૭૦ ટન વજનનાં સાધનોને લાવવા લઈ જવાની ભારવહન ક્ષમતા ધરાવે છે. દેશમાં એક સાથે ૪૪ બ્રિજ દેશને સમર્પિત કરાયા હોય તેવી આ પહેલી ઘટના છે. આ ૪૪ પુલ, ટેન્કો સહિત ૭૦ ટન વજન ખમવા સક્ષમ છે.
લદાખ સરહદે ચીન અને ભારતના સૈનિકો સામસામે મોરચો માંડીને હુમલો કરવા સજ્જ છે ત્યારે રાજનાથ સિંહે ૧૨મીએ કહ્યું કે, પાકિસ્તાન અને ચીન દ્વારા ચોક્કસ મિશન હેઠળ સીમાવિવાદ સર્જી ભારતની દેશની સુરક્ષા સામે ખતરો ઊભો કરાઈ રહ્યો છે ત્યારે આ પુલ ભારતીય સેનાને પરિવહન માટે મદદરૂપ થશે.


comments powered by Disqus