નવી દિલ્હી: ભારતમાં કોરોના કેસનો કુલ આંકડો ૧૩મી ઓક્ટોબર સુધીમાં ૭૨૩૩૬૭૦ અને મૃતકાંક ૧૧૦૫૮૮ નોંધાયો હતો. ૧૩મી સુધીમાં કોરોનામાંથી દેશમાં કુલ ૬૨૯૩૯૯૮ લોકો સાજા થયાના અહેવાલ હતા. ભારતમાં કોરોનાનું સંક્રમણ એકદમ વધ્યા પછી હવે કોરોનાએ યુ ટર્ન લેવાનું શરૂ કર્યાનાં એંધાણ છે. દેશમાં છેલ્લા કેટલાક સમયથી એક્ટિવ કેસની સંખ્યામાં ઝડપથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. સોમવારે સતત નવમા દિવસે એક્ટિવ કેસની સંખ્યા ૮.૬૨ લાખની સપાટીથી નીચે આવીને ૮ લાખ ૬૧ હજાર ૮૫૩ થઈ હતી. ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ નાયડુ ૨૯ સપ્ટેમ્બરે કોરોના સંક્રમિત થયા પછી સેલ્ફ આઈસોલેશનમાં હતા. તેમને કોરોના રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે.