હાથરસ પીડિતાનાં રાતોરાત અંતિમ સંસ્કાર કેમ કર્યાં?

Wednesday 14th October 2020 06:21 EDT
 
 

લખનઉ: ઉત્તર પ્રદેશના હાથરસ ગેંગરેપ કેસની સોમવારે અલ્હાબાદ હાઈ કોર્ટમાં લખનઉ બેન્ચમાં સુનાવણીમાં કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારની ઝાટકણી કાઢી કે, ગેંગરેપ પીડિતાનાં પરિવારની સંમતિ વિના રાતોરાત અંતિમસંસ્કાર કેમ કરાયા? આ કેસમાં ઉત્તર પ્રદેશ સરકારે વધુ સમય માગતા કેસની સુનાવણી બીજી નવેમ્બર સુધી મુલતવી રખાઈ છે.  ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે મહિલાઓની સુરક્ષા માટેની પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાની એડવાઇઝરી જારી કરતાં ૧૦મીએ જણાવ્યું કે, બળાત્કારના કેસમાં કાયદા પ્રમાણે બે મહિનામાં તપાસ પૂરી થઈ જવી જોઈએ અને પીડિતનું ડાઇંગ ડેક્લેરેશન મેજિસ્ટ્રેટ સમક્ષ લેવાયું નથી તેવા કારણસર રદ કરી નાખવું જોઈએ નહીં. 


comments powered by Disqus