અંબાજીમાં દાતાએ ૧૦૦ ગ્રામ સોનું અને એક કિલો ચાંદીની ભેટ ધરી

Wednesday 07th July 2021 07:05 EDT
 

અંબાજી: યાત્રાધામ અંબાજીમાં અંબાના ભંડારમાં ભક્તોનો દાનનો પ્રવાહ અવિરત ચાલી રહ્યો છે. અમદાવાદના જુદા જુદા બે માઇ ભક્તે ૧૦૦ ગ્રામ સોનું અને એક કિલો ચાંદી માતાજીનાં ચરણમાં ભેટ ધરી હતી. જેનો ટ્રસ્ટ દ્વારા સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો હતો. જોકે બંને દાતાઓએ પોતાનું નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં અવારનવાર ભક્તો દ્વારા મોંઘીદાટ ભેટો માતાજીના ચરણોમાં ધરાવવામાં આવે છે.  મંદિરનો સાત કિલોનો ઘુમ્મટ પણ દાતાઓએ હરખભેર દાનમાં આપ્યો છે.


comments powered by Disqus