દુષ્કર્મ કેસમાં કોર્ટે ત્રણ સ્વામીની અરજી ફગાવી

Wednesday 07th July 2021 07:02 EDT
 

સુરતઃ સુરતના એક વાલીએ તેમના સગીર પુત્રને ધો. ૧૦ બાદ વડતાલ સ્વામિ. મંદિર સંચાલિત લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ અર્થે મૂક્યો હતો. જે દરમિયાન તેને પાર્ષદ બનાવી નીલકંઠચરણ સ્વામીએ તેને પોતાના રૂમમાં રાખ્યો હતો. જ્યાં ગુરુની આજ્ઞાનું પાલન કરવાના નામે પગ દબાવાથી સેવાનો આરંભ કરી તેની સાથે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું હતું. બનાવ અંગે બાળકના પિતાએ સૌ પ્રથમ તા. ૬-૯-૨૦૧૯ના રોજ અરજી થકી નડિયાદના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં આ ત્રણેય સંતો સુવ્રત સ્વામી ગુરુભક્તિ સંભવ સ્વામી, ચેરમેન દેવ સ્વામી ગુરુ નીલકંઠચરણ સ્વામી અને કોઠારી સંત વલ્લભ સ્વામી સામે ફરિયાદ થતાં તેમણે ક્વોશિંગ પિટિશન કરી હતી. જે કોર્ટે કાઢી નાંખી હતી.
ફરિયાદમાં કરાયેલા આક્ષેપો પ્રમાણે સાંખ્ય યોગી બહેનોને ફસાવ્યા હતા, સંતો બહેનો સાથે મોડી રાત સુધી વાતો કરી તેડાવતા, સંત આવાસમાંથી પોર્નોગ્રાફીવાળી સી.ડી. મળી હતી અને નિલકંઠ ચરણ સ્વામી ફરાર થતાં વોરંટ ઈશ્યું થયું.


comments powered by Disqus