રિટેલ અને જથ્થાબંધ વેપારને MSMEનો દરજ્જો અપાયો

Wednesday 07th July 2021 07:34 EDT
 

નવીદિલ્હીઃ કોરોનાના બીજા મોજાને કારણે સમસ્યાઓનો સામનો કરી રહેલા રિટેલ અને જથ્થાબંધ વેપારીઓને સરકારે મોટી રાહત આપી છે. સરકારે રિટેલ અને જથ્થાબંધ વેપારીઓને એમએસએમઇ અર્થાત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની કક્ષામાં મૂકવાની જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ ટ્વિટ કરીને જણાવ્યું કે જથ્થાબંધ અને રિટેલ વેપારી હવે પ્રાયોરિટી સેક્ટર ધિરાણનો સરળતાથી લાભ લઇ શકશે. સરકારના આ નિર્ણયથી અઢી કરોડ રિટેલ અને જથ્થાબંધ વેપારીઓને લાભ થશે. રિઝર્વ બેન્ક તરફથી એમએસએમઇ જેવા પ્રાયોરિટી સેક્ટરને સરળ શરતે ધિરાણ ઉપલબ્ધ કરાવવાની જોગવાઇ છે.


comments powered by Disqus