સોમનાથના શિખર પર હવે જાતે ધ્વજારોહણ કરી શકાશે

Wednesday 07th July 2021 06:39 EDT
 
 

વેરાવળ:ભગવાન સોમનાથ મહાદેવ મંદિરના ૧૫૧ ફૂટ ઉંચા ગગનચુંબી શિખરે ભાવિકો સ્વહસ્તે ધ્વજારોહણ કરી શકશે. તેવી સિસ્ટમ આગામી બે-ત્રણ મહિનામાં આવી રહી છે. આ સિસ્ટમથી ભાવિકો મંદિર પરિસરમાં ઉભા રહી ધ્વજા ચઢાવવાની દોરી પકડી સ્વહસ્તે ધ્વજા ચઢાવ્યાની દિવ્ય અનુભૂતિ કરી શકાશે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કહે છે કે, આ યાંત્રિક સિસ્ટમથી ચઢનારી ધ્વજા ભાવિક ખુદ જાતે જ શિખર સુધી રવાના કરશે. અને ત્યાંથી આગલી ધ્વજા કરી મંદિર પરિસરમાં આવશે.


comments powered by Disqus