સુઇગામઃ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી નડેશ્વરી માતાજીના મંદિર વિસ્તારમાં વિકાસ કામગીરી હાથ ધરાઇ છે. જલોયા સરપંચની રજુઆતના પગલે તંત્ર દ્વારા નડાબેટ ખાતે ૧૯૭૧ના યુદ્ધમાં વપરાયેલ લડાકુ મીગ૨૧ વિમાન પ્રદર્શનમાં મુકાયું છે.
લોકો બોર્ડરને નિહાળવા આવે છે, ત્યારે નડાબેટ ટી.પોઇન્ટ થી ઇન્ડો -પાક.બોર્ડર સુધી રસ્તામાં યુદ્ધ વખતે વપરાયેલ વિવિધ વસ્તુઓ મૂકવામાં આવે તો મુલાકાતે આવનાર લોકોને ખરા અર્થમાં બોર્ડર જેવો માહોલ જોવા અને જાણવા મળી રહે.