માંડવી: દુબઇથી એક હજાર ટન જનરલ કાર્ગો લોડિંગ કરીને યમન માલ પરિવહન કરવા જતી વેળાએ પોરબંદરનું અમૃત જહાજે જળ સમાધી લીધી હતી. જો કે, તેમાં રહેલા માંડવી, સલાયાના ૭ મળી કુલ ૯ ક્રુ-મેમ્બરોનો આબાદ બચાવ થયો હતો. દુબઇથી ૩૦મેના રોજ યમનના અશગીર બંદર જતું હતું. ૨ જૂનના ઓમાનના રાસ લહાદ અને મશીરા વચ્ચે વાતાવરણમાં પલટો આવતાં જહાજને ડુબવા લાગ્યું હતું. આ દરમ્યાન દુબઇ આરબનું જહાજ ફતેહ અલબારી મદદે આવ્યું હતું.