કચ્છના મહારાવની અનિચ્છા છતાં તેમના ઉત્તરાધિકારી બનાવાશે

Wednesday 09th June 2021 07:21 EDT
 

ભૂજ: કચ્છની ગાદીના પૂર્વ રાજવી મહારાવ પ્રાગમલજી જેઓ અલગ કચ્છના પ્રખર હિમાયતી હતાં તેઓનું કોરોના કારણે ૮૫ વર્ષની વયે નિધન થયું હતું. જેના પગલે ઝુમ મિટિંગ દ્વારા ઓનલાઇન શોક સભા રાખવામાં આવી હતી.  જેમાં સમાજના અગ્રણીઓ જોડાયા હતા અને અરવિંદસિંહ મવાડે જણાવ્યું હતું કે, મહારાવ પ્રાગમલે પોતાની પાછળ કચ્છની ગાદી પર કોઇ મહારાવ નહીં બને તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ રાજા મહારાજાની પરંપરા વ્યક્તિગત કુલીન બંધારણ દ્વારા ચાલતી આવી છે. તેથી આવી જાહેરાત કરવાનું તેમના નિયંત્રણમાં નહોતું. આ પરંપરાઓ આગળ વધારવા પૂર્વજોએ ઘણા બલિદાન આપ્યા છે. તેથી તેના પર પણ સમાજ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.


comments powered by Disqus