ગાંધીનગર: કોરોના દર્દીઓને ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉભા કરાયેલા ૯ પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ, સિંગરવા હોસ્પિટલ, તિલકવાડા, સીએચસી, સાગબારા, સીએમચી, ભાણવડ, સીએચસી, મહેસાણા લાયન્સ હોસ્પિટલ, કાલાવાડ સામુહિક આરોગ્ય કેન્દ્ર પોરબંદર એમઆર હોસ્પિટલ, કપડવંજ સીએચસી ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું. વલ્લભ યુથ ઓગ્રેનાઇઝેશનને ગુજરાતમાં ૨૯ પ્લાન્ટ સ્થાપવાનું બીડું ઝડપ્યું છે. દેશમાં ૨૧ કરોડથી વધુ લોકોનું રસીકરણ થયું છે. કાર્યક્રમમાં સીએમ, VYOના સંસ્થાપક વ્રજરાજકુમારજી મહારાજ જોડાયા હતા.