રાજકોટઃ કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી સરકારને મદદરૂપ બને છે. તેવામાં BAPS સ્વામિનારાયણ સંસ્થા પણ બાકાત નથી. દુબઇથી મંગાવી ખાસ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ૨૨ મેટ્રિક ટન ઓક્સિજન લિક્વિડ ટેન્કરની ફાળવણી કરવામાં આવી છે.
રાજકોટ BAPS સ્વામિનારાયણ સંસ્થાના અપૂર્વ મુની સ્વામીએ જણાવ્યું હતું કે, દુબઇ ખાતે બની રહેલા મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ ઓક્સિજન લિક્વિડ ટેન્કર મોકલવામાં આવ્યું છે જે ૨૨ મેટ્રિક ટન ઓક્સિજન ટેન્કરની પૂજન વિધિ કરી બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યું હતું.
આ તકે રાજકોટ BAPS સંસ્થાના સંતો તથા રાજકોટના મેયર, એડિશનલ કલેક્ટર તેમજ સિવિલ હોસ્પિટલના RMO સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે, દુબઇથી મોકલવામાં આવેલું ઓક્સિજન ટેન્કર બીજા ચરણમાં રાજકોટ આવ્યું છે. અગાઉ પ્રથમ ચરણમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા ખાતેથી ઓક્સિજન ટેન્કર સેવામાં આપવામાં આવ્યા હતા. જે જામનગર, મોરબી
અને પાલનપુર પહોંચાડવામાં આવ્યા હતા.